રાજકોટ: શહેરના રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ થતાં 15થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. જ્યારે પોલીસે આ મામલે 50થી વધુ લોકોની અટકાયત કરી છે.
સમગ્ર મામલા પર નજર કરીએ તો ભવાનીનગરમાં અંગત અદાવતમાં બે જૂથ આમને સામને આવી ગયા હતા અને બાદમાં પથ્થરમારો અને સોડાની બોટલો આમને સામે ફેંકીને હુમલો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગત સાંજે બનેલ આ ઘટનામાં 15થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. તો ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ટોળા પર કાબૂ મેળવવા લાઠીચાર્જ કર્યો હતો અને 50થી વધુ લોકોની અટકાયત કરી હતી. જોકે બાદમાં સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. જેથી વિસ્તારમાં અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે.
આપને જણાવી દઇએ કે આમ તો છેલ્લા ઘણાં સમયથી રાજકોટનો ક્રાઇમનો રેટ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે શહેરના રામનાથ પરા વિસ્તારમાં આવેલ ભવાનીનગરના ગત સમી સાંજે બે જૂથો અંગત અદાવતમાં બાખડી પડ્યા હતા અને મામલો છેક મારામારી સુધી પહોંચી ગયો હતો.
બે જૂથો વચ્ચે થયેલ મારમારીમાં છુટા પથ્થરોના ઘા અને સોડાની બટલીઓ ફેંકતા 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં પોલીસે 50થી વધુ લોકોની અટકાયત પણ કરી હતી. સમગ્ર રામનાથપરા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું અને પોલીસે સ્થિતિને કાબુ કરવા હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો.