રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરની દાદાગીરીનો એક વીડિયો વાયરલ થયો હતો. ત્યારે હવે આ મામલે હોસ્પિટલના ડીન દ્વારા દાદાગીરી કરતા ડૉક્ટરનું નિવેદન લેવામાં આવ્યુ છે. સિવિલ હોસ્પિટલના ડીને ડૉક્ટરનું નિવેદન લઈને ગાંધીનગરમાં રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટમાં તપાસ બાદ ડૉક્ટર સામે તપાસ કરવામાં આવશે.
મહત્વનું છે કે, સિવિલ હોસ્પિટલના ડૉક્ટરની દાદાગીરી સામે આવી હતી. આ મામલે વીટીવી દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો. વીટીવીએ અહેવાલ રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તપાસ કરવાના આદેશ આપ્યા છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા સિવિલ હોસ્પિટલ
રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરે દર્દીઓ સાથે ગેરવર્તણૂંક કરી હતી. જેનો અહેવાલ VTV ન્યૂઝની ટીમ દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. ત્યારે આ અહેવાલના પગલે રાજ્ય સરકારે રાજકોટમાં ડોક્ટરની દાદાગીરીની ગંભીર નોંધ લીધી હતી.
જેને લઈને ડે.સીએમ નીતિન પટેલ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. મળતી માહિતી મુજબ VTV ન્યૂઝના અહેવાલને લઈને સરકારે સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી અંગે ગંભીર નોંધ લીધી હતી અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાનું નક્કી કર્યુ હતુ.