ભગવાનનુ બીજુ સ્વરૂપ એટલે ડોકટર.. પરંતુ લાગે છે કે બદલાતા સમયની અસર તબીબી આલમને પણ થઈ ચૂકી છે.. જેને ભગવાનનુ બીજુ રૂપ ગણવામા આવે તે આજકાલ માણસજાતને શોભે એવુ વર્તન નથી કરી રહ્યા.. ન માત્ર વર્તન પરંતુ તેના ઈલાજમાં પણ એટલી હદે ખામી રહી જાય છે કે દર્દી બીજી વખત હોસ્પિટલનું નામ લેવાનું પણ ન વિચારે.. તાજેતરમાં ગુજરાતમાં જ કેટલીક એવી ઘટનાઓ બની જે તબીબી જગતને પોતાના વાણી વર્તનમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની તાકિદ કરે છે.. ત્યારે આપણે ચર્ચા એ વિષય પર કરીશું કે જે જવાબદાર છે એ જ કેમ છે બેદરકાર.. આ જ વિષય પર છે આજનુ મહામંથન