ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં હાલ છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતકનું પ્રથમ વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ સેમ્પલને 4 દિવસ કેમિકલમાં રાખ્યા બાદ અભ્યાસ કરવામાં આવશે.
રાજકોટમાં કોરનાગ્રસ્ત મૃતકનું પોસ્ટમોર્ટમ કરાયું
સેમ્પલને 4 દિવસ કેમિકલમાં રાખ્યા બાદ અભ્યાસ કરાશે
કોરોનાથી કયા અંગ પર કેવી અસર થાય છે તેનો અભ્યાસ કરાશે
રાજકોટમાં હાલ કોરોના વાયરસ સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરના વાયરસની કયા અંગમાં કેવી અસર થાય છે તેને લઇને શહેરમાં કોરોનાગ્રસ્ત મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.
શહેરમાં કોરોનાગ્રસ્ત મૃતકનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ સેમ્પલને 4 દિવસ કેમિકલમાં રાખ્યા બાદ તેના પર અભ્યાસ કરવામાં આવશે તે અંગેના અહેવાલ પ્રાપ્ત થયા છે.
જો કે પ્રાપ્ત મળતી વિગત અનુસાર રાજકોટમાં કુલ 20 જેટલા કોરોનાગ્રસ્ત મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. શહેરની સિવિલ હોસ્પિટલના ડો. હેતલ ક્યાડા, ડો. દિવ્યેશ વડગામા અને ડો. પ્રતિક વરુ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.