રાજ્યમાં જ્યાં નવજાત બાળકોના મોતને લઇને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક પ્રહારો જોવા મળી રહ્યાં છે ત્યારે મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરી છેલ્લા 24 કલાકમાં 4 નવજાત શિશુના મોત નિપજ્યાં છે.
રાજકોટની હોસ્પિટલમાં નવજાત શિશુના મોતનો મામલો
કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં 24 કલાકમાં 4 બાળકોના થયા મોત
25 નવા વોર્મરની ખરીદી કરવાનો નિર્ણય લેવાયો
જો કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુના મોતને લઇને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નવા 25 વોર્મરની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
NICUને પ્રસુતિ વિભાગ પાસે શિફ્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 9 દિવસમાં 21 બાળકોના મોત થતાં કલેકટરે સિવિલ હોસ્પિટલમાં નવજાતના મોતનો રિપોર્ટ માગ્યો છે.
રાજકોટમાં કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં શિશુઓના મોતનો સિલસિલો યથાવત્ જોવા મળ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં વધુ 4 નવજાત શિશુઓના મોત થયાં છે.
જ્યારે છેલ્લા 8 દિવસમાં 20 બાળકોના મોત નિપજ્યાં છે. આમ ડિસેમ્બર મહિનામાં કુલ 111 બાળકોના મોત થયા છે.