રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જયપ્રકાશના મોત બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. હોસ્પિટલના અધિકારીઓ સાથે સમાધાન થયા બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે.
ડૉક્ટરની બેદરકારીના કારણે જયપ્રકાશનું મોત થયુ હોવાનું પરિવારે આક્ષેપ કર્યો હતો. રવિવારે જયપ્રકાશ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. ઓર્થોપેડિક સર્જને તેમની તપાસ કર્યા બાદ દાખલ કર્યા ન હતા. ત્યાર બાદ તેઓ ઘરે પહોંચતાતેમનું મોત થયુ હતુ. ઈમરજન્સીમાં સારવાર ન અપાતા પરિવારે વિરોધ નોંધાવ્યો હતો અને પરિવારે મૃતદેહ સ્વીકારવાનો પણ ઈન્કાર કર્યો હતો. ત્યારે હવે હોસ્પિટલના સત્તાધીશો સાથે સમાધાન થતા પરિવારે મૃતદેહ સ્વિકાર્યો છે.
આ પહેલાં પણ રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી અનેક વખત સામે આવી છે. પછી ભલે તે ભૂજની 2 માસની બાળકીની સારવારને લઇને હોય કે સિવિલ હોસ્પિટલના વોટર કુલરમાં પીવાના પાણીમાં જીવાતને લઇ હોય. જેમને લોકો ભગવાન સમાન માને છે તે ડોક્ટરો જ જો આમ કરશે તો જનતા ક્યાં જશે.