બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ સિટી બસ અકસ્માત કેસ; ડ્રાઈવર શિશુપાલ રાણાની ધરપકડ, બ્રેક ન લાગ્યાનું રટણ

અપડેટ / રાજકોટ સિટી બસ અકસ્માત કેસ; ડ્રાઈવર શિશુપાલ રાણાની ધરપકડ, બ્રેક ન લાગ્યાનું રટણ

Last Updated: 11:23 PM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં સિટી બસ અકસ્માત કેસમાં આરોપી ડ્રાઈવરની ધરપકડ કરાઈ છે, શિશુપાલસિંહ રાણાને હોસ્પિટલમાંથી રજા મળતા ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે.

રાજકોટમાં ગત બુધવારે ઇન્દિરા સર્કલ પાસે ગોઝારા અકસ્માતની ઘટના બની હતી. જેમાં સિટી બસના હડફેટે બે મહિલા સહિત ચારના મોત થયા હતા. અકસ્માતની આ ઘટનામાં ઇલેકટ્રીક સિટી બસના ડ્રાઇવર શિશુપાલસિંહ દીલુભા રાણાને ગઈકાલે સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાતા આજે ગાંધીગ્રામ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસની પૂછતાછમાં બસ ડ્રાઈવર શિશુપાસિંહે તેણે બ્રેક મારવાનો પ્રયત્ન કર્યેા હતો પરંતુ બ્રેક લાગી ન હોવાનું રટણ કયુ હતું.

rajkot news

પોલીસે બસ એજન્સીના સંચાલકોને નોટિસ પાઠવી

રાજકોટમાં ચાર ચાર નિર્દોષ લોકોના ભોગ લેનાર ડ્રાઇવરની પોલીસે હવે ધરપકડ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં બસ ચાલકનું લાયસન્સ એકસપાયર થઈ ગયું હોવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરાઇ નથી, જેથી આ માટે કોની બેદરકારી તે નક્કી કરવા માટે પોલીસે સિટી બસ એજન્સીના જવાબદાર અધિકારીને તેડું મોકલ્યું છે. જે એજન્સીના અધિકારીઓ આવ્યા બાદ તેમનું નિવેદન નોંધી, બેદરકારી દાખવનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ બસ ચાલકને કોર્ટ હવાલે કરી દેવા માટે પોલીસે કાર્યોવાહી હાથ ધરી છે. બુધવારે સવારે ઇન્દિરા સર્કલ પાસે બનેલી અકસ્માતની ઘટનામાં ચાર વ્યકિતઓએ જીવ ગુમાવ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ સિટી બસના ચાલક શિશુપાલસિંહને બસમાંથી બહાર ખેંચી ઢોર મારમાર્યેા હતો તેને બચાવવા વચ્ચે પડેલા ટ્રાફિક શાખાના પોલીસમેન સાથે પણ મારકૂટ થ હતી.

rajkot 1

આ પણ વાંચો: ખરીફ સિઝનમાં કપાસના પાકને બચાવવા જાણી લો આ ઉપાયો, પાકમાં થશે મબલખ ઉત્પાદન

પોલીસ અધિકારીનું નિવેદન

સમગ્ર બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર. મેઘાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ''બસ ચાલક શિશુપાલસિંહની પૂછપરછ કરતા તેણે બનાવ સમયે બ્રેક મારવાની કોશિશ કરી હતી પરંતુ બ્રેક લાગી ન હોવાનુ કહી રહ્યો છે. આ બાબતે આરટીઓના રિપોર્ટ મુજબ બસમાં બ્રેક કે કોઇ મિકેનિલક ખામી ન હતી. ચાલક શિશુપાલ સિંહનું લાઇસન્સ એક મહિના પૂર્વે એકસપાયર થઈ ગયું હોવા છતાં આ બાબતે કોઈએ કેમ ખરાઈ ન કરી અને આ બેદરકારી દાખવા પાછળ જવાબદાર કોણ? તે નક્કી કરવા માટે આજે પીએમઆઈ અને તેના પેટા કોન્ટ્રાકટ કંપની વિશ્વમ એજન્સીના જવાબદાર અધિકારીનું પોલીસ નિવેદન લેશે જે નિવેદન લીધા બાદ આ બેદરકારી દાખાવવા પાછળ કોની જવાબદારી છે તે સ્પષ્ટ્ર થશે''

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

City Bus Accident Case Driver Shishupal Arrested Rajkot City Bus Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ