રાજકોટનો મંત્ર અને અમદાવાદની ખુશીને પણ મળ્યો પુરસ્કાર
દેશભરમાં બાળકોને એક વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 32 બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2021થી સન્માનિત કરવામાં આવ્યા છે. બાળકોનું આ સન્માનનું ખુદ પ્રધાનમંત્રી મોદીએ વીડિયો કોન્ફરન્સથી કર્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં PM મોદીએ સૌ પ્રથમ મુંબઈની કામ્યા સાથે વાર્તાલાપ કર્યો હતો. કામ્યાએ પર્વતારોહણના ક્ષેત્રમાં પુરસ્કાર મળ્યો છે. PMએ કામ્યાને પુછ્યું હતું કે, તેમણે હાલ કયા નવા પર્વત પર વિજય પ્રાપ્ત કર્યો છે. અને કોરોનાના કારણે શું શું મુશ્કેલી પડી હતી.
રાજકોટના બાળક સાથે પ્રધાનમંત્રીએ કરી વાત
રાજકોટના મંત્ર હરખાની સાથે પણ PM મોદીએ વાત કરી હતી. રાજકોટનો મંત્ર દિવ્યાંગ ઇન્ટરનેશનલ સ્વીમર છે. મંત્ર અત્યાર સુધીમાં બે ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યો છે. આજે વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી મંત્ર સાથે વાત કરી અને મંત્રને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર નિમિત્તે PM મોદીએ એવોર્ડ અર્પણ કર્યો છે.
પ્રધાનમંત્રીજી મારે તમારી સાથે ફોટો પડાવવો છે
પુરસ્કાર વિતરણ બાદ પ્રધાન મંત્રીએ 32માંથી 6 બાળકો સાથે વાતચીત કરી હતી. અને તેમની સફળતાના કિસ્સા પણ સાંભળ્યા હતા. આ દરમિયાન રાજકોટના વિજેતા યુવક મંત્ર હરખાણીએ પ્રધાનમંત્રી સાથે ગાંઠિયા ખાવાની વાત કરી હતી. જેને સાંભળી પ્રધાનમંત્રી હસી પડ્યા હતા. વડાપ્રધાન સાથેની વાતચીતમાં મંત્રએ કહ્યું કે, તમે ગુજરાત આવો ત્યારે મારે તમારી સાથે ફોટો પડાવો છે અને જલેબી-ગાંઠિયા ખાવા છે. તેમજ ચા પણ પીવડાવીશ.
અમદાવાદની ખુશી પટેલને પુરસ્કારથી સન્માનિત કરાઈ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારમાં ખુશી પટેલની પણ પસંદગી 32 બાળકોમાં કરવામાં આવી હતી. રાજકોટના મંત્ર સહિત અમદાવાદની ખુશીનો પણ સમાવેશ કરાયો હતો. ખુશી પટેલને સ્પોર્ટસ પુરસ્કાર મળ્યો છે. ખુશી રાજ્ય કક્ષાએ 25 ગોલ્ડ મેડલ મેળવી ચૂકી છે. તો આ સાથે 17મી એશિયનમાં સ્કેટિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગુજરાતની દીકરી રોલ મેડલ તરીકે પ્રસ્તુત થઈ હતી.
કોને આપવામાં આવે છે આ પુરસ્કાર?
બાળ પુરસ્કારથી એવા બાળકોને સન્માનિત કરવામાં આવે છે. જેઓ અસાધારણ કાર્ય અને ક્ષમતા ધરાવે છે. જે બાળકો રચનાત્મતા, શિક્ષણ, રમત-ગમત, ચિત્ર, નૃત્ય, સામાજિક ક્ષેત્ર, સેવાક્ષેત્રે પોતાનું યોગદાન આપે છે.