ગુજરાતમાં કોરોનાના કેસ દિવસે નથી વધતા એટલા રાતે અને રાતે નથી વધતા એટલા દિવસે વધે છે. ત્યારે રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે.
કોરોનાના કેસ વધતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો મત
લોકડાઉન થશે તો જ કોરોનાની ચેન અટકશે
આપણે જીવિત રહીશું તો વેપાર ધંધો રહેશે
ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે. રોજ નવા નવા રેકોર્ડ બનાવે છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે સરકારને લોકડાઉન કરવાની વિનંતી કરી છે.
કોરોનાના કેસ વધતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો મત આવ્યો છે. તેમનું કહેવું છે કે, લોકડાઉન થશે તો જ કોરોનાની ચેન અટકશે. આપણે જીવિત રહીશું તો વેપાર ધંધો રહેશે. મૃત્યુઆંક અને પોઝિટિવનો આંક ધારણાથી પણ વધારે ઝડપથી વધી રહ્યો છે. અમે કોઈ પાર્ટી કે પક્ષ વગર સાથે મળી કામ કરીશું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ અંગે રજૂઆત કરી છે. શનિવાર-રવિવારે લોકડાઉન કરવાની રજૂઆત કરી છે. હોટલને 11 વાગ્યા સુધી હોમ ડિલિવરીની છૂટ આપવામાં આવી છે. જો સરકાર લોકડાઉન નહીં કરે તો અમે સ્વયંભૂ લોકડાઉન કરીશું.
રાજકોટમાં કોરોના અટકાવવા પોલીસ મેદાને
કોરોનાના કેસ વધતા પોલીસ કમિશનર આકરા પાણીએ થયા છે. 3 હજાર જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાશે. જાહેર માર્ગો પર એકઠા થતા લોકો વિરુદ્ધ કાર્યવાહી થશે. ચા-પાનની દુકાનો પર ભીડ થશે તો કાર્યવાહી કરવામાં આવશે. માસ્ક નીચે ઉતારશે તો પણ રૂ.1000નો દંડ કરવામાં આવશે. ખાણી-પીણી બજારમાં પણ પોલીસ કડક કાર્યવાહી કરશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં અત્યાર સુધીમાં 4620 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 175 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે.
એક સમયે આખા ગુજરાતમાં નહોતા આવતા એટલા કોરોનાના કેસ માત્ર અમદાવાદમાં
નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 804 કેસ અને ગ્રામ્યમાં 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 621 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 198 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 351 કેસ, જ્યારે ગ્રામ્યમાં 106 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 395 કેસ અને ગ્રામ્યમાં 95 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...