રાજકોટ શહેરમાં ઠેર-ઠેર જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સોસાયટીઓમાં લોકો દ્વારા અલગ-અલગ થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં જન્માષ્ટમી મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. સુરતમાં થયેલા અગ્નિકાંડની થીમ પર ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન અગ્નિકાંડના તમામ મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી.