રાજકોટના જાણીતા બિલ્ડર મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરી લીધી, સુસાઈડ નોટમાં આપઘાત પાછળ ઓઝોન ગૃપને જવાબદાર ગણાવ્યું, 7 નામ સામે આવતા ખળભળાટ
રાજકોટમાં મહેન્દ્ર ફળદૂની આત્મહત્યાનો મામલો
FSLની ટીમ પહોંચી મહેન્દ્ર ફળદુની ઓફિસ
FSLની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
રાજકોટના જાણીતા બિલ્ડર મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરી લીધી છે. મહેન્દ્ર ફળદુએ ઝેરી દવા પી ગળેફાંસો લગાવી અત્મહત્યા કરી છે. પોતાની ઓફિસમાં મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરી હતી. સમગ્ર મામલે ઓઝોન ગ્રુપ પર શંકાની સોય ઘૂમી રહી છે.
સુસાઇડ નોટમાં આપઘાત પાછળ ઓઝોન ગૃપને જવાબદાર ગણાવ્યું
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આપઘાત કરતા પહેલા તેણે મીડિયાને પ્રેસનોટ મોકલી હતી. જેમાં આપઘાત પાછળ ઓઝોન ગૃપને જવાબદાર ગણાવ્યું હતું. નોટમાં લખ્યું છે કે, મારી 33 કરોડની મિલકતના દસ્તાવેજો કરી આપતા નથી. મારા ગ્રુપના 70 કરોડના દસ્તાવેજો છે. અમિત ચૌહાણ, એમ.એમ. પટેલ, અતુલ મહેતા, જયેશ પટેલ, દીપક પટેલ, પ્રણય પટેલ અને પ્રકાશ પટેલ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે. મને ખૂજ હેરાન કર્યો છે અને મારા પર ફરિયાદો કરે છે અને ધમકી આપે છે.
સ્યૂસાઇડ નોટમાં કોના પર આરોપ?
એમ.એમ.પટેલ
અમિત ચૌહાણ
અતુલ મહેતા
જયેશ પટેલ
દીપક પટેલ
પ્રણય પટેલ
પ્રકાશ પટેલ
જમીનના દસ્તાવેજ ન કરી આપતા હોવાનો ઓઝોન ગ્રુપ પર આક્ષેપ
આત્મહત્યા કરતા પહેલા મીડિયાને પ્રેસનોટ મોકલી હતી.જેમાં મહેન્દ્ર ફળદુએ અમદાવાદના બાવળામાં "ધ તસ્કની બીચ સીટી" નામના પ્રોજેક્ટમાં 1 લાખ વારની જમીન ખરીદી હતી...2007માં 3 કરોડથી વધુ રૂપિયાનું ઓઝોન ગ્રુપમાં રોકાણ કરાયું હતુ. આ જમીનના દસ્તાવેજ ન કરી આપતા હોવાનો આક્ષેપ કર્યો છે. ઓઝોન ગ્રુપના એમ.એમ.પટેલ, અમિત ચૌહાણ, અતુલ મહેતા, જયેશ પટેલ, દિપક પટેલ, પ્રણય પટેલ અને પ્રકાશ પટેલ સામે આક્ષેપ કર્યા છે..તો મહેન્દ્ર પટેલને ખોટી ફરિયાદો કરી ધાકધમકી આપતા હોવાનો પ્રેસનોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આશરે 35 કરોડની જમીનના દસ્તાવેજ ન કરી આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
પ્રેસનોટમાં અક્ષર મહેન્દ્ર ફળદુના છે કે પછી અન્ય કોઈના ?
ઓફિસના દરેક વ્યક્તિને મોડા આવવાનું કહ્યું
રાજકોટમાં જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુ આપઘાત મામલે FSLની ટીમ પહોંચી મહેન્દ્ર ફળદુની ઓફિસમાં પણ પહોંચી છે. FSLની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મહેન્દ્ર ફળદુ પોતાની ઓફિસમાં વહેલા પહોંચ્યા હતા અને ઓફિસના દરેક વ્યકતિને મોડા આવવા કહ્યુ હતું. સોમવારના રોજ ઓફિસમાં સાફસફાઈ કરાવી હતી. સોમવારના રોજ થોડાક પેપર વર્ક પણ કર્યુ હતું. કાલે તેમણે કરોડો રૂપિયાના વ્યવહાર પણ કર્યા હતાં
ભાજપ સાથે સંકળાયેલા લોકોના નામ સામે આવશે: ધારાસભ્ય લલિત કગથરા, કોંગ્રેસ
રાજકોટમાં બિલ્ડરના આપઘાતનો મુદ્દો કોંગ્રેસે ઉઠાવ્યો છે.કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે મહેન્દ્ર ફળદુને હું સારી રીતે ઓળખતો હતો.મહેન્દ્ર ફળદુએ આજે કંટાળીને આપઘાત કર્યો છે.મહેન્દ્ર ફળદુ તંત્રથી કેટલા ત્રાહિમામ પોકારી ગયા હશે.જેમના નામ લીધા છે તેમની સામે તપાસ થવી જોઇએ.યોગ્ય તપાસ થાય તો ભાજપ સાથે સંકળાયેલા લોકોના નામ સામે આવશે.આ સાથે જ કહ્યું કે, જસદણમાં પિતા-પુત્રએ પણ આપઘાત કર્યો હતો.વ્યાજચક્ર અને માથાભારે તત્વોથી લોકો પરેશાન થયા હતા.કોરોના કરતા પણ મોટી મહામારી વ્યાજચક્ર છે.પોલીસ પણ આવા વ્યાજખોરો સામે કોઇ કાર્યવાહી કરતી નથી.વ્યાજખોરોને પોલીસ કે કાયદાની કોઇ બીક નથી.લોકોને ડરાવી મિલકતો લખાવી લેવામાં આવે છે...વ્યાજની રકમની પઠાણી ઉઘરાણીઓ કરવામાં આવે છે.
કોણ હતા ઉદ્યોગપતિ મહેન્દ્ર પટેલ?
મહેન્દ્ર પટેલ આર્થિક સંકળામણમાં આવી ગયા હોવાથી પગલું ભર્યું છે.IAS અને IPS અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે તેવું કહીને ધમકી અપાતી હતી.મહેન્દ્ર ફળદુ ક્લબ યુવી ગ્રુપના ચેરમેન હતા.એડવોકેટ અને કડવા પાટીદાર સમાજની વિવિધ સંસ્થા સાથે મહેન્દ્ર પટેલ જોડાયેલા હતા.