રાજકોટમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે. કોર્પોરેટર પરેશ પીપળીયાએ સ્થાનિક સાથે દાદાગીરી કરી છે. જેનો એક ઓડિયો વાયરલ થયો છે. શહીદ ઉધમસિંહ આવાસ યોજનાનું પાણી બંધ કરાવ્યું હતું. જો કે આ મામલે ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ પહોંચીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. આ સાથે પોલીસ અને ધારસભ્યો દ્વારા સોસાયટીના રહીશોને ફરી પાણી આપવામાં આવશે તેવું જણાવામાં આવ્યું.
રાજકોટના ભાજપના કોર્પોરેટરની દાદાગીરી
કોર્પોરેટર પરેશ પીપળીયાની દાદાગીરી આવી સામે
ધારાસભ્ય અરવિંદ રૈયાણી પહોંચી મામલો થાળે પાડ્યો
આ અગાઉ ભાજપના કોર્પોરેટરે દાદાગીરી કરતા કહ્યું કે કચરો બહાર ફેંકશો તો પાણી બંધ રાખવામાં આવશે. આવાસ યોજનાની બાજુમાં પાર્ટીપ્લોટ હોવાથી કિન્નાખોરી રાખતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
જેને લઇને સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે કોર્પોરેટર દ્વારા પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. એકલ દોકલ વ્યક્તિ દ્વારા કચરો ફેંકવામાં આવ્યો હોય તો તેની સામે 2 હજારથી વધુ લોકોને પાણી વિના કેવી રીતે રાખી શકાય.
રાજકોટમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે. શહીદ ઉધમસિંહ આવાસ યોજનાનું પાણી બંધ કરવાના મામલે સ્થાનિક અને કોર્પોરેટર વચ્ચે વાતચીત થઈ. કોર્પોરેટરે દાદાગીરી કરતા કહ્યું કે કચરો બહાર ફેંકશો તો પાણી બંધ રાખવામાં આવશે @BJP4Gujarat@jitu_vaghani@CMOGuj@GujaratPolicepic.twitter.com/NhD5i3e23J
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 16, 2020
જો કે આ બધા વચ્ચે ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ વચ્ચે પડતાં મામલો થાળે પડ્યો હતો. આ ઘટનાને લઇને અરવિંદ રૈયાણીએ નિવેદન આપતાં કહ્યું કે ઘટનાની તપાસ બાદ કાર્યવાહી કરીશું. કોર્પોરેટર પરેશ પીપળીએ મહીલઓને સમજાવી હતી. જો કોર્પોરેટરે દાદાગીરી કરી હશે તો કાર્યવાહી થશે. સ્થાનિક સમસ્યાનો નિકાલ લાવીશું.
શું હતો મામલો?
ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયા સામે દાદાગીરીનો આક્ષેપ
શહીદ ઉધમસિંહ આવાસ યોજનાનું પાણી બંધ કરાવ્યાનો આક્ષેપ
પરેશ પીપળીયા અને સ્થાનિકનો ઓડિયો થયો વાયરલ
કચરો બહાર ફેંકશો તો પાણી બંધ રાખવામાં આવશે-પરેશ પીપળીયા