કોરોનાના કારણે સમગ્ર દેશમાં વિમાની સેવા ઠપ થઇ હતી. ત્યારે 5 મહિનાથી બંધ રાજકોટથી મુંબઈ અને ભાવનગરથી મુંબઈની વિમાની સેવા આગામી તારીખ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે. તો રાજકોટથી દિલ્હી વચ્ચે પણ વિમાની સેવા શરૂ થશે.
રાજકોટથી મુંબઈ અને દિલ્હીની ફ્લાઇટ થશે શરૂ
ભાવનગર-મુંબઈ વચ્ચે પણ ફ્લાઇટ થશે શરૂ
કોરોના અને લૉકડાઉનના કારણે વિમાની સેવા બંધ હતી
14 સપ્ટેમ્બરથી રાજકોટ-મુંબઇ વચ્ચે વિમાની સેવા શરૂ થશે. જ્યારે 18 સપ્ટેમ્બરથી રાજકોટથી દિલ્હી વિમાની સેવાનાં પણ શ્રીગણેશ થશે. સવારે 8 વાગે દિલ્હીથી ફ્લાઇટ આવશે. સવારે 8.50 કલાકે દિલ્હી જવા રવાના થશે. 14 સપ્ટેમ્બરથી ભાવનગર-મુંબઈ વચ્ચે વિમાની સેવા શરૂ થશે. અઠવાડિયામાં 3 દિવસ વિમાન ઉડશે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં લૉકડાઉનના કારણે એસટી બસ સેવા અને ટ્રેન સેવાની સાથે વિમાની સેવાને પણ અસર પહોંચી હતી. તેવા સંજોગોમાં રાજકોટથી મુંબઈ અને ભાવનગરથી મુંબઈ વચ્ચે વિમાની સેવા શરૂ થશે.
મહત્વનું છે કે, વિમાની સેવા શરૂ કરવા અંગે વારંવાર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓએ ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને રજૂઆતો કરી હતી. ત્યારે હવે રજૂઆત બાદ આગામી તારીખ 14 સપ્ટેમ્બરથી રાજકોટ-મુંબઈની ફ્લાઈટનો પ્રારંભ થશે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ યાર્ડ પાટનગર તરીકે જાણીતુ રહ્યું છે. ત્યારે રાજકોટથી મુંબઈનો ટ્રાફિક વધુ હોવાના કારણે વિમાની સેવા શરૂ કરવાની ડિમાન્ડ લાંબા સમયથી કરવામાં આવી હતી. પરંતુ લૉકડાઇનના કારણે ડોમેસ્ટિક ફ્લાઈટ મર્યાદિત શહેરો પૂરતી ચાલુ કરવામાં આવી હોવાથી. આજ સુધી રાજકોટથી મુંબઈની એરવેઝની ફ્લાઇટ બંધ હતી. જે આગામી તારીખ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે.