મચ્છરોના ત્રાસને કારણે છેલ્લા ત્રણ દિવસથી બંધ રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ હવે ખુલશે. માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલા આજી-2 ડેમમાંથી ગાંડીવેલનું ગ્રહણ દૂર થશે. ત્રણ દિવસ બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને સુરતથી મશીન લાવીને કામગીરી શરૂ કરી છે.
રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ હવે ખુલશે
મચ્છરોના અતિશય ત્રાસથી છેલ્લા ત્રણ દિવસથી છે બંધ
સુરતથી સ્પેશિયલ મશીન મંગાવાયું
વેલ દૂર કરવાની કામગીરીથી યાર્ડના સત્તાધીશો અને બેડી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે એવા પણ સવાલ કેટલાક લોકો ઉઠાવી રહ્યા છે કે આ કામગીરી બાદ પણ યાર્ડ ખુલશે કે નહીં ?.
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોના ત્રાસના કારણે છેલ્લા ઘણા સમયથી વેપારીઓ પરેશાન હતા ત્યારે હવે આજી નદીમાંથી ગાંડીવેલને દૂર કરવા માટે સુરત મનપાની ટીમની મદદ લેવામાં આવી છે. આજથી આજી નદીમાંથી ગાંડીવેલ દૂર કરવા સુરતની મનપાની ટીમની કામગીરી લેવામાં આવી છે.
આજી નદીમાં ડી વિડર મશીનથી કામગીરી હાથ ધરાશે. આજી નદીમાં મચ્છરોનું બ્રિડિંગ સેન્ટર બનતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવે સુરત મનપા સહિતની ટીમની મદદ લઈને ગાંડીવેલ દૂર કરવામાં આવી રહી છે.