રાજકોટમાં થયેલા ભારે વરસાદ બાદ આજી-2 ડેમ ઓવરફ્લો થયો છે. આજી ડેમમાં પાણીની ભારે આવક થતાં 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. આજી-2 ડેમની જળસપાટી 88.05 મીટરે પહોંચી છે. તો ડેમ ઓવરફ્લો થતાં પડધરી સહિતના વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે.. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ છે.