વિદ્યાથી નેતા હોય એટલે મન ફાવે તેમ કરવાનું? રાજકોટમાં ABVPના કાર્યકર્તાઓએ રોડ બ્લોક કર્યો તો સામે અમદાવાદ પણ NSUIના નેતાઓ બેફામ વાહન હંકાર્યા હતા.
જાહેર માર્ગ પર બેફામ વાહનો ચલાવનાર નેતાઓ ક્યારે દંડાશે?
રાજકોટ: ABVPના કાર્યકર્તા મનફાવે તેમ જીપ હંકારી
અમદાવાદ: NSUIના કાર્યકર્તાઓએ ડિવાઈડર પરથી જીપો કુદાવી
રાજકોટમાં ABVPના કાર્યકર્તાઓ દ્વારા રોડ બ્લોક કરતાં મામલો બીચક્યો છે. અમદાવાદના NSUI અને રાજકોટના ABVPના કાર્યકરો વચ્ચે જાણે રોડ બ્લોક કરવાની હોડ જામી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રાજકોટમાં ABVP દ્વારા જાહેર માર્ગ પર જોખમ ભરી રીતે વાહનો ચલાવી રોડ બ્લોક કર્યો હતો જે બાદ મનોહર સિંહ જાડેજા, DCP રાજકોટ દ્વારા કડક કાર્યવાહીના આદેશ અપાતા બેફામ જીપ ચાલવનાર ઋષિકેશ ગણાતા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કલમ 279 મુજબ કાર્યવાહી હાથ ધરી ફરી કોઈ વિદ્યાથીનેતા આવી લોકોને અડચણ રૂપ હરકત ન કરે તે માટે દાખલારૂપ કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે .
અમદાવાદમાં ખુલ્લી જીપ બેફામ હંકારી રહ્યાં છે NSUIના નેતાઓ
રાજકોટમાં ABVPના નેતાઓ દ્વારા બેફામ વાહન ચલાવીને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બાદ અમદાવાદથી પણ વધુ એક વીડિયો સામે આવ્યો છે..GLS યુનિવર્સિટીમાં ખુલ્લી જીપમાં NSUIના નેતાઓ બેફામ વાહન ચલાવી રહ્યા છે.. ખુલ્લી જીપમાં NSUIના નેતાઓ GLS યુનિવર્સિટીમાં ફરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થી નેતાઓ બેફામ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે.. છતાં તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી..જેથી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
ABVPની સભ્ય નોંધણી દરમિયાન ફરજિયાત જયશ્રી રામના નારા બોલાવ્યા?
તો બીજી તરફ અમદાવાદની GLS યુનિવર્સિટીમાં રેગિંગના આક્ષેપ પણ લાગી રહ્યા છે. ABVPના કાયઁકતાઓ રેગિગ કર્યું હોવાનું વિદ્યાથીઓ આરોપ કરી રહ્યા છે. ABVPની સભ્ય નોંધણી દરમિયાન કેમ્પસના વિદ્યાર્થીને કેસરિયો પહેરાવી જયશ્રી રામના નારાના બોલાવ્યા હોવાની વાત વહેતી થઈ છે. સમગ્ર મામલે વિદ્યાથીઓ ગુપ્તરીતે મીડીયા સમક્ષ પોતાની આપવીતી ઠાલવી રહ્યા છે ત્યારે આ મામલે પણ અત્યાર સુધી પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.