રાજકોટ આજીડેમ ચોકડી પાસે બ્રિજની દિવાલ ધરાશાયી થવાના મામલે હજુ પણ પોલીસની નિષ્ક્રિયતા પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે. પોલીસે ફરિયાદ નોંધી લીધા પછી પણ ધરપકડ ન થતાં આરોપીઓ દ્વારા આગોતરા જામીનની અરજી કરવામાં આવી છે.
રાજકોટની આજી ડેમ પોલીસ સામે અનેક સવાલો ઉઠ્યા
પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ પણ ન કરી ધરપકડ
ધરપકડ ન થતા આરોપીઓ દ્વારા આગોતરા જામીનની અરજી કરાઈ
રાજકોટ આજીડેમ પોલીસ સામે આજીડેમ ચોકડી પાસેના બ્રિજની દિવાલ ધરાશયી થવાના મામલે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. પોલીસે ફરિયા નોંધ્યા બાદ પણ આરોપીઓની કેમ ધરપકડ ન કરી. હાલમાં આરોપીઓ દ્વારા આગોતરા જામીનની અરજી કરવામાં આવી છે.
પોલીસ સ્ટેશનમાં આ મામલે 2 ડિરેક્ટર, પૂર્વી કર્મી અને ઇજનેર સામે ફરિયાદ નોંધાઇ છે. ત્યારે સવાલ થાય છે કે આરોપીઓ દ્વારા આગોતરા જામીનની અરજી કરી છતાં કેમ ધરપકડ કરાઇ નથી. અધિકારીઓ સામે કલમ 304 હેઠળ ગુનો દાખલ કરાયો છે. આ દૂર્ઘટનામાં 2 યુવકોના મૃત્યું થયા હતા.
રાજકોટ આજીડેમ ચોકડી પાસે બ્રિજની દિવાલ ધરાશાયી થવાના મામલે અગાઉપણ પોલીસ સામે સવાલ ઉઠ્યાં હતા. જેમાં ગુનો નોંધવામાં ઢીલી નીતિ જોવા મળી રહી હોય તેવા આક્ષેપ લાગ્યા હતા. જેનું મુખ્ય કારણ હતું કે જૂનમાં રિપોર્ટ આવ્યો છતાં ગુનો નોંધાવામાં ઢીલ કરવામાં આવી રહી હતી.
તપાસ પંચના રિપોર્ટ બાદ પણ પોલીસમાં ફરિયાદ થઇ નહોતી. માત્ર નેશનલ હાઇવે ઓથોરિટીના 1 અધિકારીની બદલી કરાઇ છે. અધિકારીની રાજકોટથી જયપુર બદલી કરી સંતોષ માનવામાં આવ્યો હતો. જની દિવાલ ધસી પડતા 2 લોકોએ જીવ ગુમાવ્યા હતાં.