રાજકોટ સિવિલ હોસ્પિટલની ફરી એક વખત લાલિયાવાડી સામે આવી છે. ભુજની 2 માસની બાળકી સવારથી સારવાર માટે હેરાન થઇ રહી છે. બાળકીને પેટમાં ગાંઠ હોવાથી સારવાર માટે રાજકોટ સિવિલ લાવવામાં આવી છે. ત્યારે રાજકોટ સિવિલના ડોક્ટરોનું કહેવું છે કે, સિવિલમાં બાળકોના ઓપરેશનનો વિભાગ જ નથી. અને બાળકીને અમદાવાદ લઇ જવા કહેવાયું છે. જો કે પરિવાર બાળકીને અમદાવાદ લઇ જવા પણ તૈયાર છે પરંતુ રાજકોટ સિવિલના ડોક્ટર કેસને રીફર પણ નથી લખી આપતા. ત્યારે એક બાજુ બાળકી દર્દથી તરફડે છે અને બીજી બાજુ ડોક્ટરોના પેટનું પાણી પણ નથી હલતું. સિવિલ સત્તાધીશોને આ બાળકીનું દર્દ કેમ નથી દેખાતું ?. ક્યાં ગઇ લોકોના જીવને બચાવાવની ડોક્ટરોની સોગંદ ?.