ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આજે અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદમાં લોકસભાની ચૂંટણીના પરિણામ અંગે ચર્ચા કરવામાં આવશે. તો કોંગ્રેસના પુસ્ત લોન્ચ કાર્યક્રમમાં પણ હાજરી આપશે. ત્યારે એરપોર્ટ પર રાજીવ સાતવે મીડિયા સાથે વાત કરતાં ખાતર કૌભાંડ મામલે ભાજપ પર આક્ષેપ કર્યો. અને કહ્યું કે ખાતર કૌભાંડમાં ભ્રષ્ટાચારને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. માત્ર ગુજરાતમાં જ ખાતરમાં વજન ઓછું કેમ છે. રાજ્યમાં ખેડૂતો સાથે સરકાર અન્યાય કરી રહી છે. તો દલિતો પર અત્યાચાર મામલે સાતવે કહ્યું કે સરકાર ન્યાય અપાવવામાં નિષ્ફળ રહી છે. અને સરકાર જ ખુદ રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે. આ મુદ્દાને વિધાનસભામાં ઉઠાવીને ચર્ચા કરવામાં આવશે તેમ પણ જણાવ્યું.