રાજીવ કુમાર અનેક વર્ષોથી આ પદ પર રહ્યા હતા. રાજીવ કુમારે રાજીનામું આપતા હવે તેની જગ્યાએ સુમન કે. બેરીને નીતિ આયોગના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. સુમન બેર 1 મેથી નીતિ આયોગનો કાર્યભાર સંભાળશે. જોકે રાજીવ કુમારના રાજીનામાના કારણ શું તેની માહિતી હજુ સુધી મળી શકી નથી.
નીતિ આયોગના બીજા ઉપાધ્યક્ષ હતા રાજીવ કુમાર
રાજીવ કુમાર નીતિ આયોગના બીજા ઉપાધ્યક્ષ હતા. 2014માં પહેલી વખત સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે યોજના આયોગનું નામ બદલીને નીતિ આયોગ કર્યું હતું. ત્યારે અરવિંદ પનગઢિયાને નીતિ આયોગના પહેલા ઉપધ્યક્ષ બનાવાયા હતા.
રાજીવ કુમાર સપ્ટેમ્બર 2017થી સરકારના થિન્ક ટેન્કના વીસી છે. આ વીસી છે. આ સિવાય, તેઓ ગોખલે ઇન્સ્ટીટ્યૂટ ઑફ પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સ, પૂણેના ચાન્સલર અને ગિરી ઇન્સ્ટીટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ સ્ટડીઝ, લખનઉંના બોર્ડ ઑફ ગવર્નર્સના અધ્યક્ષ તરીકે પણ કામ કરે છે.
તેઓ 2004-2006 સુધી ભારતીય ઉદ્યોગ પરિસંઘ(CII)ના મુખ્ય અર્થશાસ્ત્રી અને 2011-2013 દરમિયાન ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી)ના મહાસચિવનો કાર્યભાર પણ સંભાળી ચૂક્યા છે. તેમણે ભારતીય સ્ટેટ બેન્કના કેન્દ્રીય બોર્ડમાં 2 કાર્યકાળ અને ભારતીય રિઝર્વ બેન્કના કેન્દ્રીય બોર્ડમાં કામ કર્યું છે.
સરકારમાં તેમની પહેલા કાર્યકાળ ઔદ્યોગિક ખર્ચ અને મૂલ્ય બ્યૂરો(BICP), ઉદ્યોગ મંત્રાલય(1989-1991)માં વરિષ્ઠ સલાહકાર અને આર્થિક મુદ્દાના વિભાગ(DEA), નાણા મંત્રાલય (1991-1994)ની સાથે આર્થિક સલાહકારની જવાબદારી સોંપી હતી.
શું છે નીતિ આયોગનું કામ ?
જણાવી દઇએ કે નીતિ આયોગના અધ્યક્ષ પ્રધાનમંત્રી હોય છે. આ આયોગ દેશ માટે મુખ્ય નીતિ નક્કી કરવાનું કામ કરે છે. યોજના આયોગ દેશના વિકાસ માટે દૂરલક્ષી યોજના, પંચવર્ષીય યોજના તેમજ વાર્ષિક યોજના એમ ત્રણ પ્રકારની યોજનાઓ તૈયાર કરે છે.