કેન્દ્ર સરકારે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાના સાત દોષિતોને મુક્ત કરવાની ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે આજે થયેલી સુનાવણીમાં સરકારને કહ્યું કે આ કેસ દેશના પૂર્વ પ્રધાનમંત્રીથી જોડાયેલો છે એટલા માટે દોષિતોને છોડી શકાય નહીં.
જણાવી દઇએ કે રાજીવ ગાંધી હત્યાકાંડના તમામ સાત આરોપી હાલમાં તમિલનાડુની જેલમાં બંધ છે. એ છેલ્લા 27 વર્ષથી જેલની સજા ભોગવી રહ્યા છે. આ પહેલા તમિલનાડુ સરકારે 2 માર્ચ 2016એ કેન્દ્ર સરકારને પત્ર લખીને કહ્યું હતું કે એમને સાત દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. કારણ કે સુપ્રીમ કોર્ટના 2015ના એક આદેશ હેઠળ આ દોષિતોને મુક્ત કરતા પહેલા રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી મંજૂરી લેવી ફરજીયાત છે એટલા માટે આ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે આ મામલાની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સીએ પણ સાત દોષિતોને મુક્ત કરવાનો વિરોધ કર્યો હતો. સરકારે કહ્યું કે તમિલનાડુ સરકારને આ નિર્ણય માટે 18 એપ્રિલે જ સૂચિત કરી દેવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે આ પહેલા સુપ્રીમ કોર્ટે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાના સાત દોષિતોને મુક્ત કરવા સંબંધી તમિલનાડુ સરકારના પત્ર પર કેન્દ્ર સરકારને 3 મહિનાની અંદર નિર્ણય લેવા કહ્યું હતું.