સુપરસ્ટાર રજનીકાંતની તબિયત અચાનક ખરાબ થઇ ગઇ છે. તેમના બ્લડપ્રેશરમાં ઉતારચડાવ આવ્યા બાદ તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
રજનીકાંતની તબિયત લથડી
હોસ્પિટલમાં કરાયા એડમિટ
ફિલ્મ સેટ પર 9 લોકો આવ્યા હતા પોઝીટીવ
મહત્વનું છે કે તેમનો ઇલાજ ચાલી રહ્યો છે અને તે ફિલ્મ અન્નાથેનું શૂટિંગ કરી રહ્યાં હતા જેને રોકી દેવામાં આવી છે. આ ફિલ્મના સેટ પર 8 લોકો કોરોના પોઝીટીવ આવ્યા હતા. રજનીકાંતે પોતાની જાતને ક્વૉરંટાઇન કરી લીધા હતા.
Rajinikanth admitted to hospital this morning after showing severe fluctuation in blood pressure. He'll be investigated & monitored closely till his bp settles down before being discharged. He doesn't have any other symptoms & is hemodynamically stable: Apollo Hospital, Hyderabad pic.twitter.com/lQYPErCFRk
કોરોનાને કારણે ફિલ્મને 9 મહિનાથી શૂટિંગ અટક્યુ છે. શૂટિંગ ફરીથી હૈદરાબાદની રામોજી ફિલ્મ સીટીમાં 14 ડિસેમ્બરે શરૂ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં નયનતારા અને કીર્તિ સુરેશ મેઇન રોલમાં છે.
રજનીકાંતની બેઠક
રજનીકાંતે સોમવારે પોતાના ફોરમના ઑફિસર્સ સાથે પોતે રાજનૈતિક પાર્ટી બને તો કેવું રહેશે તે વાત પર ચર્ચા કરવા માટે મિટીંગ કરી હતી. તેમની આ બેઠક ચેન્નઇમાં રાઘવેન્દ્ર મંડપમમાં રજની મક્કલ મંડરમના જિલ્લા સચિવો સાથે થઇ હતી. રજની મક્કલ મંડરમના પ્રતિનીધિઓ સાથે રજનીકાંતે જ્યારે 2021માં રાજ્યની ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો ત્યારે સુપરસ્ટારે તે લોકોને ધીરજ ધરવા કહ્યું હતું અને આ મુદ્દે કોઇ નિર્ણય લઇ જ લેવો જોઇએ તેવું કહ્યું હતું.
બેઠકમાં શું વાત થઇ
બેઠકમાં તે વાત પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો કે પોતાની પાર્ટી બનાવીને રાજનીતિમાં એન્ટ્રી કરે તો, સુત્રોના કહ્યાં મુજબ રજનીકાંતે કહ્યું કે જિલ્લા પ્રમુખ સંતોષકારક કામ નથી કરી રહ્યાં. જો તમે પરિશ્રમ કરશો તો જ આપણે આગળના સ્તર પર જઇ શકીશું. પાર્ટીની શરૂઆત કરવાનો નિર્ણય હું લઇશ.
પ્રતિનીધિઓનું હકારાત્મક વલણ
કેટલાક ઑફીસર્સનું કહેવું છે કે, રજનીકાંત પાસે વિજય પ્રાપ્ત કરવાની આ સુવર્ણ તક છે. તે જલ્દી જ પોતાનું પોલિટીકલ કરિયર શરૂ કરી શકે છે. આ બેઠક રજનીકાંતના એક નિવેદન બાદ થઇ હતી જેમાં તેમણે કહ્યું હતું કે, સાચો સમય આવવા પર હું રજની મક્કલ મંડરમના ઑફિસર્સ સાથે વિચાર કર્યા બાદ પોલીટીકલ પાર્ટી વિશે જાણકારી આપીશ.