દિલ્હીના સુપરસ્ટાર રજનીકાંતે દિલ્હીમાં થયેલ હિંસાને લઇને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં ઉપદ્રવિઓએ આટલી બધી હિંસાને અંજામ આપી દીધો જેમાં દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ સહિત 20 લોકોના મોત થઇ ગયા. તેમણે કહ્યું કે, હિંસા સામે કડકાઇથી કાર્યવાહી કરવી જોઇએ.
તમારાથી હિંસા કાબૂમાં નથી આવતો તો તમારે સત્તા છોડી દોઃ રજનીકાંત
હું કેન્દ્ર સરકારની કડક નિંદા કરું છુંઃ રજનીકાંત
હિંસા સામે કડકાઇથી કાર્યવાહી કરવી જોઇએઃ રજનીકાંત
રજનીકાંતે કહ્યું કે, નક્કીરીતે આ કેન્દ્ર સરકારની ગુપ્ત નિષ્ફળતા છે. હું કેન્દ્ર સરકારની કડક નિંદા કરું છું. તેમણે મીડિયાના એક વિભાગ દ્વારા તેનો સંબંધ ભાજપ સાથે જોડવા પર પણ દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, આમાં કંઇને કંઇક કેન્દ્ર સરકારની ખામી છે. જો તમારાથી હિંસા કાબૂમાં નથી આવતો તો તમારે સત્તા છોડી દેવી જોઇએ. જોકે તેમણે કોઇનું નામ નથી લીધું.
અભિનેતાએ ઉત્તર પૂર્વી દિલ્હીમાં થયેલ હિંસાને લઇને કેન્દ્ર સરકારની નિષ્ફળતા ગણાવી. રજનીકાંતે કહ્યું કે, સામાન્ય લોકોની સાથે સાથે દિલ્હી પોલીસ અને આઈબીના પણ જવાનોના મોત થયા છે, આ કોઈ નાની વાત નથી.
Rajinikanth: It is an intelligence failure and hence Home Ministry also failed. Protests can happen peacefully but not in a violent manner. If violence breaks out, it should be dealt with iron hands. #NortheastDelhipic.twitter.com/idRpHOtCEU
તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરીકે હવાલો આપતા કહ્યું કે જ્યારે ટ્રમ્પ ભારત પ્રવાસે આવ્યા હતા ત્યારે તો સરકારે સાવધાન રહેવું જોઇતુ હતું. આઈબીએ પોતાનું કામ યોગ્ય રીતે ન કર્યું. તેમણે કહ્યું કે હિંસા સાથે કડકાઇથી લડવું જોઇતું હતું. કેન્દ્ર પર કટાક્ષ કરતા તેમણે પણ કહ્યું કે, અમે તમારી પાસે આશા રાખીએ છીએ કે ઓછામાં ઓછું હવે તો સાવધાન થઇ જાય.
અભિનેતાએ પણ કહ્યું કે, વિરોધ પ્રદર્શનને હિંસક ન થવું જોઇએ. તેમણે પોતાના જૂના નિવેદનને પણ યાદ કર્યું જેમાં તેમણે કહ્યું હતું કે જો સીએએ મુસ્લિમોને અસર કરે છે તો તેઓ મુસ્લિમો સાથે છે.