સુપરસ્ટાર રજનીકાંતે રાજકારણને અલવિદા કહી દીધુ છે અને પાર્ટીના પદાધિકારીઓ સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ ક્યારેય રાજકારણમાં પાછા નહી આવે.
રજનીકાંતે પોલીટીક્સને કહ્યું અલવિદા
હવે કરશે જનતાની સેવા
ક્યારેય પોલીટીક્સમાં નહી આવે પાછા
રજની મક્કલ મંદ્રમના પદાધિકારીઓ સાથેની વાતચીતમાં કહ્યું કે તે હવે ક્યારેય રાજકારણમાં પાછા નહી ફરે, સાથે જ તેમણે રજની મક્કલ મંદ્રમ પાર્ટીને પણ બંધ કરી દીધી છે. રજનીકાંતે કહ્યું કે, આ સંગઠન હવે રજની રસીગર નરપાની મંદરામના નામથી જનતાની મદદ માટે કામ કરશે.
રજનીકાંતે આપ્યું નિવેદન
રજની મક્કલ મંદ્રમ પાર્ટીને બંધ કરતા રજનીકાંતે કહ્યું કે, ભવિષ્યમાં રાજનીતિમાં આવવાની મારી કોઇ યોજના નથી. હું રાજનીતિમાં ફરી ક્યારેય નહી આવું. રજનીકાંતે આ નિર્ણય રજની મક્કલ મંદ્રમ પાર્ટીના પદાધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ લીધો છે. રજનીકાંતે પોતાના પ્રશંસકો સાથે બેઠક પણ કરી હતી.
રજનીકાંતે લગાવ્યું પૂર્ણવિરામ
તમને જણાવી દઇએ ડિસેમ્બર 2020માં રજનીકાંતે રાજનીતિમાં ન આવવાનું એલાન કર્યુ હતુ. જો કે તે ફરીથી રાજનીતિમાં આવશે તેને લઇને ક્યાસ લાગી રહ્યાં હતા પરંતુ રજનીકાંતના નિવેદને દરેક ક્યાસ પર પૂર્ણવિરામ લગાવી દીધુ છે અને કહી દીધુ છે કે ભવિષ્યમાં તે ફરી ક્યારેય રાજનીતિમાં નહી આવે