દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત હાલ ચેન્નઇની કાવેરી હોસ્પિટલમાં છે. 2016માં કિડની ટ્રાંસપ્લાન્ટ બાદથી તેમને હેલ્થને લઇને તકલીફો થઇ રહી છે.
રજનીકાંતની તબિયત લથડી
ગુરુવારે કરાયા હતા દાખલ
ચાહકો કરી રહ્યાં છે પ્રાર્થના
ગુરુવારે તબિયત બગડી હતી
રજનીકાંતની તબિયત હાલ સુધારા પર છે. ગુરુવારે તેમની તબિયત બગડી હતી અને તેમને ચેન્નઇની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, મીડિયાને રુટિન ચૅક-અપ કહેવામાં આવ્યું હતું. રજનીકાંતનું 2016માં અમેરિકામાં કિડની ટ્રાંસપ્લાન્ટ થયું હતું. ત્યારથી તે પોતાની તબિયતને લઇને સજાગ રહે છે. હેલ્થ પ્રોબ્લેમના કારણે જ તેમણે રાજનીતિ પણ છોડી દીધી હતી.
ચાહકો કરી રહ્યાં છે પોસ્ટ
આ સમાચાર સામે આવ્યાં બાદ રજનીકાંતના ચાહકો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવા લાગ્યા હતા. ચાહકોએ અભિનેતાના સારા સ્વાસ્થ્ય અંગે શુભકામના કરી રહ્યાં છે. એક્ટર રજનીકાંતને રાષ્ટ્રીય ફિલ્મ ઍવોર્ડમાં દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઍવોર્ડને પોતાના મિત્ર રાજ બહાદૂરને સમર્પિત કર્યો હતો.
Actor Rajinikanth has been admitted to Kauvery Hospital in Chennai, says the hospital. pic.twitter.com/ONK6w0icrt
રજનીકાંતનો મિત્ર છે રાજબહાદૂર
રજનીના ફેન્સ રાજ બહાદૂરને ઓળખતાં હશે. આ વ્યક્તિ બેંગ્લોરના ચમરાજપેટમાં રહે છે. રાજ બહાદૂર તે જ વ્યક્તિ છે જેણે શિવાજીરાવ ગાયકવાડને રજનીકાંત બનવા માટે પ્રેરિત કર્યો હતો. આ તે જ વ્યક્તિ છે જેણે રજનીને તમિળ ભાષા બોલતા શીખવાડી. આ વાતને ખુબ ઓછા લોકો જાણે છે કે બંનેની કહાણી કૃષ્ણ-કુલેચાની પૌરાણિક કથાથી મળતી આવે છે. બસ અંતર એટલું છે કે બંનેએ કૃષ્ણ અને કુલેચાની ભૂમિકા અનેકવાર અદલબદલ કરી છે.
એક લોકપ્રિય મિત્રતા
રાહ બહાદૂરે કહ્યું કે, અમારી મિત્રતા 50 વર્ષ જૂની છે. હું તેને 1970માં મળ્યો હતો. તેણે ત્યારે બસ કંડક્ટર અને મેં ડ્રાઇવર તરીકે નોકરી જોઇન કરી હતી. અમારા ટ્રાંસપોર્ટ સ્ટાફમાં તે સૌથી સારો એક્ટર હતો. જ્યારે પણ વિભાગનો કોઇ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય ત્યારે તે કાર્યક્રમ આપતો હતો. ડ્યુટી બાદ તે વિભિન્ન નાટકોમાં કામ કરતો હતો. તે કહેવાની જરૂર નથી કે અભિનયમાં તેમનો કોઇ મુકાબલો કરી શકે છે.