સાઉથના સુપરસ્ટાર રજનીકાંત હાલ તેમના સ્વાસ્થ્યને લઇને ચર્ચામાં છે. તે પહેલા પણ તે પોતાની રાજનીતિમાં આવવાને લઇને ચર્ચામાં રહ્યાં હતા. તેમણે એલાન કર્યુ હતુ કે તે તેમની રાજનૈતિક પાર્ટી 31 ડિસેમ્બરના રોજ શરૂ કરશે પરંતુ હવે તે રાજનીતિમાં સંપૂર્ણ રીતે સક્રિય નહી થાય.
રજનીકાંતે કહ્યું આ ભગવાનનો સંકેત
રજનીકાંતે તેમના નિવેદનમાં કહ્યું કે, છેલ્લાથોડા સમયમાં તેમની તબિયત જે રીતે ખરાબ થઇ છે તેને તે ભગવાનનો ઇશારો માને છે. હવે તેમણે રાજનૈતિક પાર્ટી ન બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે તે એવું નથી ઇચ્છતાં કે લોકો તેમના વિશે એવું વિચારે કે તે બલિનો બકરો છે.
છેલ્લા મહિને રજનીકાંતે કહ્યું હતું કે 2016માં અમેરિકામાં તેમનું ઓપરેશન થયુ હતુ અને કોરોના મહામારીના કારણે તેમના ડૉક્ટર રાજનીતિમાં પ્રવેશવા પર વિરોધ દર્શાવી રહ્યાં છે. ઘણા સમયથી તે રાજનીતિમાં પ્રવેશ કરશે અને એપ્રિલ 2021ની વિધાનસભા ચૂંટણી લડશે.
તબિયત લથડી
હૈદરાબાદમાં થઇ રહેલા શૂટિંગ દરમિયાન તેમની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમણે એલાન કર્યુ છે કે તે સંપૂર્ણ રીતે રાજનીતિમાં સક્રિય નહી થઇ શકે.