દેશભરમાં કોરોના મહામારીથી પહોંચી વળવા માટે 16 જાન્યુઆરીથી શરુ થઈ રહેલા રસીકરણ અભિયાનની પહેલા મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ બુધવારે કહ્યું કે મહારાષ્ટ્રને પહેલા ચરણ માટે જેટલી રસી મળવી જોઈતી હતી તેના કરતા ઓછી મળી છે.
સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો
18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસી નહીં લગાવવામાં આવે
જ્યાં 8 લાખ લોકોનુ રસીકરણ થવાનું હતુ
સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો
ટોપેએ કહ્યું કે કેન્દ્ર સરકારના નિર્દેશાનુસાર એમ પણ રાજ્યમાં રસીકરણ કેન્દ્ર ઓછા આપવામાં આવ્યા છે. પહેલા ચરણમાં કેન્દ્ર સરકારે 9 લાખ 73 હજાર રસીની ખોરાક ઉપલબ્ધ કરવ્યા છે. જ્યારે બફર સ્ટોક સહિત કુલ 17 લાખથી વધારે રસીના ડોઝની જરુર છે.
જ્યાં 8 લાખ લોકોનુ રસીકરણ થવાનું હતુ
એનો મતલબ સ્પષ્ટ છે કે જરુરિયાત કરતા ઓછી રસી રાજ્યને મળી છે. આની સાથે જ્યાં 8 લાખ લોકોનુ રસીકરણ થવાનું હતું ત્યાં 55 ટકા અટેલે 5 લાખ લોકોની રસીના ડોઝ આપી શકાય છે.
18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસી નહીં લગાવવામાં આવે
સ્વાસ્થ્ય મંત્રીને કહ્યું તે પ્રત્યેક રસીકરણ કેન્દ્ર પર 100 લોકોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવશે. જે રીતે પહેલા દિવસે ફક્ત 35 હજાર લોકોને રસી લગાવવામાં આવી શકે છે. પરંતુ ગર્ભવતી મહિલા અને 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસી નહીં લગાવવામાં આવે.