રામાનંદ સાગરની રામાયણના પાત્રો લોકડાઉનને કારણે ફરી એકવાર લોકપ્રિય થઈ ગયા છે. કોરોનાથી બચવા માટે લોકો ઘરમાં કેદ છે. ત્યારે રામાયણ આજે પણ ટીઆરપીમાં આગળ છે. રામાયણમાં મેઘનાથનો રોલ પ્લે કરનાર વિજય અરોરા એક એવા એક્ટર હતા, જેમણે બોલિવૂડથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને એવું કહેવાય છે કે, તેમની દમદાર એક્ટિંગ જોઈને સુપરસ્ટાર રાજેશ ખન્નાને પણ પ્રભાવિત થઈ ગયા હતા.
રામાયણનું ફરી પ્રસારણ થવાથી જૂના કલાકારો ફરી ચર્ચામા આવ્યા
વિજય અરોરાએ રામાયણમાં મેઘનાથનો રોલ પ્લે કર્યો હતો
એ સમયે તેમની દમદાર એક્ટિંગ જોઈ રાજેશ ખન્ના પણ પ્રભાવિત થઈ ગયા હતા
યાદોની બારાત ફિલ્મથી મળી ઓળખ
રામાયણમાં મેઘનાથના રોલમાં વિજય અરોરાની દમદાર એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી લીધું હતું, સાથે જ રાજેશ ખન્નાની ઊંઘ પણ હરામ કરી દીધી હતી. વિજય અરોરાએ 1971માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયામાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. વર્ષ 1972માં તેણે ફિલ્મ 'જરૂરક'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેને સ્ટારડમ ત્યારે મળ્યું જ્યારે ઝીનત અમાન સાથે યાદો કી બારાતમા કામ કર્યું. તેમનો ચુરા લિયા હૈ તુમને ગીત સુપરહીટ રહ્યો અને હાથમમાં ગિટાર લઈને વિજય અરોરાની ફ્રેન્ડ ફોલોઈંગ વધારી દીધી હતી.
આ એ દિવસોની વાત છે જ્યારે સમગ્ર બોલિવૂડમાં રાજેશ ખન્નાના નામનો ડંકો વાગતો હતો. તેણે ફિલ્મ 'યાદોં કી બારાત'માં ભલે નાનો રોલ ભજવ્યો હોય, પરંતુ વિજય અરોરાની આ ફિલ્મ પછી ઘણી ચર્ચા થઈ હતી. ત્યારબાદ તેણે જયા ભાદુરી, વહીદા રેહમાન સાથે ફાગુન, શબાના આઝમી સાથે કાદંબરી, તનુજા સાથે ઈન્સાફ, પરવીન બોબી સાથે 36 ઘંટે, મૌસમી ચેટર્જી સાથે નાટકમાં કામ કર્યું.
80ના દાયકામાં તેમને રામાયણમાં મેઘનાથ ઈન્દ્રજીતના રોલ માટેની ઓફર મળી. આ રોલને વિજય અરોરાએ પોતાની એક્ટિંગથી અમર બનાવી દીધો. મેઘનાથના રોલમાં આજે પણ લોકો વિજયને યાદ કરે છે. 2007માં 62 વર્ષની ઉંમરે કેન્સરને કારણે તેમનું નિધન થયું હતું.જોકે, આજે પણ તેમની એક્ટિંગને કારણે તેમને યાદ કરવામાં આવે છે.