ભારતમાં દિન પ્રતિદિન કોરોના કેસ વધતાં જાય છે તેથી કેન્દ્ર સરકારે હવે ત્રીજી વાર રાજ્યોને કોરોના ટેસ્ટિંગ વધારવાનો આદેશ આપ્યો છે.
દેશમાં કોરોના પાછો ઉપડ્યો
છેલ્લા ચોવીસ કલાકમાં 1500થી વધુ કેસ
કેન્દ્ર સરકારે રાજ્યોને ફરી આપ્યો ઓર્ડર
કોરોના ટેસ્ટીંગ વધારવાનું જણાવ્યું
ભારતમાં કોરોના કેસ વધી રહ્યાં છે. છેલ્લા અઠવાડિયાથી કેસમાં ઉછાળો આવી રહ્યો છે જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ કેસ વધી રહ્યાં છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 1500થી વધુ કેસ નોંધાયા છે ત્યારે હવે એક અઠવાડિયામાં કેન્દ્ર સરકારે ત્રીજી વાર રાજ્યોને કોરોના ટેસ્ટિંગ વધારવાનો આદેશ આપ્યો છે.
કોરોના ટેસ્ટિંગ વધારો
ICMRના DG ડોક્ટર રાજીવ બહલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોને ઓર્ડર કરીને વધારેમાં વધારે કોરોના ટેસ્ટિંગનો આદેશ આપ્યો છે. ચાલુ અઠવાડિયામાં આ ત્રીજી વાર કેન્દ્ર સરકારે રાજ્યોને આવો આદેશ આપ્યો છે જેના પરથી કોરોનાથી ગંભીરતા જાણી શકાય છે.
DG ICMR Dr Rajiv Bahl and Secy, MoHFW Rajesh Bhushan write to all States/UTs on maintaining optimum testing for Covid-19 pic.twitter.com/xS5ycvqYa1
છેલ્લા ચોવીસ કલાકમાં 1590 કેસ
દેશમાં કોરોના વાયરસ ધીમે ધીમે ફરી ફેલાઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજેતરના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 1590 કોરોના કેસ નોંધાયા છે. આ 2023 ના અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. નિષ્ણાતોનું કહેવું છે કે ગયા નવેમ્બર બાદ દેશમાં સૌથી વધુ કોરોના દર્દીઓ નોંધાયા છે. આ આંકડાઓએ આરોગ્ય નિષ્ણાતોની ચિંતા વધારી દીધી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હવે દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા આઠ હજારને વટાવી ગઈ છે. કુલ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 8601 થઈ ગઈ છે. બીજી તરફ કોરોનાની સકારાત્મકતા દરમાં પણ વધારો થયો છે. તે વધીને 1.33% થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,19,560 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આંકડાઓ પર નજર કરીએ તો કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. એક દિવસ પહેલા દેશમાં કોરોનાના 1249 નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ, ગુરુવારે 1300 અને બુધવારે 1134 કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા.
India records 1,590 fresh COVID-19 cases, highest in 146 days: Health ministry
કોરોનાથી છેલ્લા 24 કલાકમાં છ મૃત્યુ નોંધાયા છે. આમાં મહારાષ્ટ્રમાં ત્રણ મોત થયા છે. આ સિવાય કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં એક-એકનું મોત થયું છે. હવે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 530824 થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક પોલિટિવિટી રેટ 1.23 ટકા નોંધવામાં આવ્યો છે.
કોરોનાથી બચાવાના ઉપાય
માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ વગેરેની સમસ્યાને સામાન્ય ન ગણો. તે કોરોના પણ હોઈ શકે છે. તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરો.
જો તમારી આસપાસ કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનાથી સંપૂર્ણ અંતર રાખો.
ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરીને જ જાઓ. છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરો.
જાહેર સ્થળોની સપાટીને સ્પર્શ કરવાનું ટાળો અને જો તમે કરો છો તો તરત જ તમારા હાથને સેનિટાઈઝ કરો.
સમયાંતરે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો.
જો તમને તમારી અંદર કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારી જાતને ક્વોરોન્ટાઈન કરો.