કોરોના વાયરસના કારણે દેશમાં ઘણા બધા લોકોએ નોકરી ધંધા ગુમાવી દીધા છે. કોરોના વાયરસ ઘણા બધા લોકોના જીવ લઇ રહ્યું છે જ્યારે બીજી તરફ વાયરસના કારણે લોકોની આર્થિક પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઇ રહી છે. કોરોના વાયરસના કારણે એક ક્રિકેટરની પણ દયનીય પરિસ્થિતિ જોવા મળી છે.
વ્હિલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન હતા રાજેન્દ્ર સિંહ ધામી
હવે મનરેગા હેઠળ મજૂરી કરવા મજબૂર
જિલ્લાઅધિકારીએ મદદ કરવાના આદેશ આપ્યા
કોરોના વાયરસ મહામારીનાં કારણે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે બીજી વાયરસના કારણે લાખો લોકોએ રોજીરોટી ગુમાવી દીધી છે. ઘણા બધા લોકો અન્ય લોકો પર આશ્રિત થઇ ગયા છે અને જેમતેમ પોતાના જીવનની ગાડી ખેંચવા મજબુર છે. આ જ રીતે ભારતીય વ્હિલચેર ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહામારીના કારણે પોતાનું જીવન ચલાવવા મજૂરી કરવા મજબૂર થઇ ગયા છે. ઉત્તરાખંડના પિથૌરાગઢમાં રહેતા રાજેન્દ્ર સિંહ ધામી એકસમયે વ્હિલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન હતા પણ હવે તે મનરેગા હેઠળ મજૂરી કરી રહ્યા છે.
This is the life story of Sh Rajendra Singh Dhami from #Pithoragarh#Uttarakhand, once a champion cricketer; now a labourer. The former captain of the Indian wheelchair cricket team is forced to work today under the MNREGA scheme. Hope we can join hands to extend support to him! pic.twitter.com/BeoMHQJlGU
રાજેન્દ્ર સિંહ ધામીનું 90% શરીર લકવાગ્રસ્ત છે. અને તે વ્હિલચેર ક્રિકેટ ટીમ ટૂર્નામેન્ટથી કમાણી કરતા હતા પરંતુ મહામારી દરમિયાન પરિસ્થિતિ એવી ખરાબ થઇ ગઈ કે હવે તેમણે મજૂરી કરવી પડી રહી છે. તેમણે કહ્યું કે 'એક ટૂર્નામેન્ટ થવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે તે ટળી ગઈ. હું સરકારથી આગ્રહ કરું છું કે તે મારી યોગ્યતા પ્રમાણે મને નોકરી આપે.'
પિથૌરાગઢના જિલ્લા અધિકારી ડૉ. વિજય કુમાર જોગડંડેએ જણાવ્યું કે તંત્રએ જિલ્લા સપોર્ટ ઓફિસરને ધામીની તુરત જ આર્થિક મદદ કરવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે હાલમાં તેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ લાગી રહી છે. અમે સ્પોર્ટ્સ અધિકારીને કહ્યું કે તરત જ પૈસાની મદદ કરે. તેમને મુખ્યમંત્રી સ્વરોજગાર યોજના અથવા એવી કોઈ બીજી યોજના હેઠળ લાભ આપવામાં આવશે જેથી તેમને ભવિષ્યમાં મદદ મળી શકે.'