રાજદીપ એજન્સીનું કૌભાંડ બહાર લાવનારની બદલી કરાવવામાં આવી છે. રાજદીપ એજન્સીએ વનરાજસિંહ ચૌહાણની બદલી કરાઈ હોવાની વાત સામે આવી છે. વનરાજસિંહે પૂરાવા રજૂ કરી કોન્ટ્રાક્ટ એજન્સીના કૌભાંડને ઉજાગર કર્યું હતું.
રાજદીપ એજન્સીએ વનરાજસિંહ ચૌહાણની કરાઈ બદલી
પૂરાવા રજૂ કરી કોન્ટ્રાક્ટ એજન્સીના કૌભાંડ ઉજાગર કર્યું હતું
બદલી બાદ વનરાજસિંહ ચૌહાણનો રાજદીપ એજન્સી પર આક્ષેપ
VTV સમક્ષ પૂરાવાઓ રજૂ કરી કોન્ટ્રાક્ટ એજન્સીના કૌભાંડ ઉજાગર કર્યું હતું. તેના કારણે બદલી કરવામાં આવી હોવાના આક્ષેપો લગાવાયા છે. કામ ન કરતા હોવાનું બહાનું આગળ ધરીને વનરાજસિંહની બદલી કરી હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો છે. એજન્સી વિરુદ્ધ લોકોને ભડકાવવાનો એજન્સીએ વનરાજસિંહ પર આક્ષેપ કરીને તેમની બદલી કરી હોવાના આક્ષેપ લાગ્યા છે.
વનરાજસિંહ ચૌહાણે કહ્યું કે, મારા પર લગાવવામાં આવેલા આક્ષેપો તદ્દન ખોટા છે, ગાંધીનગરમાં સિવિલમાં 4 વર્ષથી ફરજ બજાવું છું, કોઇપણ દર્દીને કોઇપણ પ્રકારની તકલીફ થવા નથી દીધી. ઓફ ડ્યૂડીના સમયે હું ટિકટોક વાપરું છું. તેમણે શરતોના વિરૂદ્ધમાં મારી બદલી કરી છે. છેલ્લા 4 વર્ષમાં 4થી વખત એવું બન્યું છે કે મને છુટો કર્યો હોય. હું સતત લડ્યો આવ્યો અને લડતો રહીશ. આગામી સમયે લેબર કોર્ટમાં જઇશ અને પુરાવા રજૂ કરીશ.