યુપીમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરેએ અખિલેશની સપા સાથેનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે.
યુપીની રાજનીતિમાં વધુ એક ગઠબંધન તૂટ્યું
ઓપી રાજભરે સપા સાથેનું ગઠબંધન તોડ્યું
અખિલેશ યાદવે રાજભરને કહ્યું હતું- જ્યાં ફાવે ત્યાં જાવ
યુપી વિધાનસભા ચૂંટણી બાદ સપા ગઠબંધનમાં પડેલી તિરાડે આખરે પરિણામ લાવી દીધું છે.
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના પ્રમુખ શિવપાલ સિંહ યાદવ અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરના ક્રોસ વોટિંગથી સપા નારાજ છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે હવે શિવપાલ અને રાજભરને મુક્ત કરી દીધા છે. આ માટે અખિલેશે શિવપાલ અને રાજભરેને અલગ અલગ લેટર લખીને તેમને જ્યાં ફાવે ત્યાં જવાનું જણાવ્યું હતું આ પછી રાજભરેએ ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી.
Rajbhar announces end of alliance with Akhilesh, Shivpal says 'compromise on principles unacceptable' after SP's ultimatum
Today they (SP) have given divorce & we've accepted that. Next step is BSP. When I meet CM Yogi Adityanath it's bad for them but it's good if Akhilesh Yadav meets CM. Everything will be clear by 2024. We fight for Dalits & backwards & will continue to do so: SBSP chief OP Rajbhar pic.twitter.com/NkG3fi7wfr
ઓપી રાજભરેએ સપા સાથેનું ગઠબંધન તોડ્યું
યુપીમાં સમાજવાદી પાર્ટી સાથેનું ગઠબંધન તોડવાની ઓપી રાજભરેએ જાહેરાત કરી છે. રાજભરેની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધન હતું. ગઠબંધન તોડવાની રાજભરેની જાહેરાતના થોડા કલાકો પહેલા અખિલેશે રાજભરે અને તેમના કાકા શિવપાલ યાદવને ગઠબંધનમાંથી નીકળી જવું હોય તો નીકળી જવાનું જણાવ્યું હતું. સમાજવાદી પાર્ટી તરફથી એક લેટર પણ જારી કરવામાં આવ્યો હતો. આ લેટરના થોડા કલાકો બાદ રાજભરેએ સપા સાથેનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી.
માયાવતીની બસપા સાથે ગઠબંધન કરે તેવી શક્યતા
ઓપી રાજભરેની પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી માયાવતીની બસપા સાથે ગઠબંધન કરે તેવી શક્યતા છે.
અખિલેશ યાદવના છૂટાછેડા આવકાર્ય- ઓમ પ્રકાશ રાજભર
સપાના પત્ર પર ઓમ પ્રકાશ રાજભરનું નિવેદન હવે સામે આવ્યું છે. રાજભરે કહ્યું કે અખિલેશ યાદવના છૂટાછેડા આવકાર્ય છે. હું લડતો રહ્યો, પણ કશું થયું નહીં. અખિલેશ પોતાની મરજીથી કામ કરે છે. રાજભરે વધુમાં કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણીમાં બધુ ક્લિયર થઈ જશે.
સપાએ શિવપાલ અને રાજભરને અલગ અલગ લેટર લખ્યો
સમાજવાદી પાર્ટીએ શનિવારે શિવપાલ અને ઓ પી રાજભરને અલગ-અલગ પત્ર જારી કરીને કહ્યું કે જો તમને લાગે કે તમને વધુ સન્માન મળશે તો ત્યાં જાવ, તમે જ્યાં ઇચ્છો ત્યાં જવા માટે સ્વતંત્ર છો. સપાએ રાજભરને પત્ર જાહેર કરતા લખ્યું કે ઓમ પ્રકાશ રાજભર સમાજવાદી પાર્ટી સતત ભાજપ સામે લડી રહી છે. તમે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે અને ભાજપને મજબૂત કરવા માટે સતત કામ કરી રહ્યા છો. જો તમને લાગતું હોય કે તમને વધુ આદર મળશે, તો તમે ત્યાં જવા માટે સ્વતંત્ર છો.