રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકારણ ગરમાઇ રહ્યું છે. એક તરફ જ્યાં કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યું છે. ત્યારે ફરી રાજ્યસભાની ચૂંટણીના સમીકરણો બદલાતાં જોવા મળી રહ્યાં છે. આમ કોંગ્રેસને એક સાંધે તેર તુટેના ઘાટ જોવા મળી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ પણ બંને બેઠકો જીતવાને લઇને બાંયો ચડાવતી જોવા મળી છે. રાજ્યમાં NCP ધારાસભ્યનો મત મેળવવા માટે શરદ પવાર સાથે વાતચીત કરી દબાણ લાવવાનો પ્રયાસ કરશે.
રાજ્યસભાની બીજી બેઠક જીતવા કોંગ્રેસનો પ્રયાસ
NCP ધારાસભ્ય કાંધલ જાડેજાનો મત મેળવવા પ્રયાસ
શરદ પવાર થકી કાંધલ જાડેજા પર દબાણ લાવવા પ્રયાસ કરાશે
ગુજરાતમાં કોરોના સંકટ વચ્ચે રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં હવે 'તોડાના' રાજનીતિએ જોર પક્ડયું છે. એક તરફ કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં પડી રહ્યાં છે ત્યારે પક્ષ દ્વારા હવે NCP નો મત મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હોવાની જાણકારી મળી રહી છે.
કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની બીજી બેઠક જીતવા માટે NCP ધારાસભ્ય કાંધલ જાડેજાનો મત મેળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં મહારાષ્ટ્રની ગઠબંધન સરકારનો લાભ ગુજરાત માટે લેવામાં આવી રહ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.
કોંગ્રેસ હવે NCP અધ્યક્ષ શરદ પવાર થકી કાંધલ જાડેજા પર દબાણ લાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. કાંધલ જાડેજાને પક્ષ તરફથી વ્હીપ અપવાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આ અંગે કોંગ્રેસ પ્રદેશના પ્રભારી રાજીવ સાતવ દ્વારા NCP સા વ્હીપ મામલે ચર્ચા કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.