ગુજરાતની ચાર સહિત રાજ્યસભાની કુલ 19 બેઠકો માટે આજે મતદાન યોજાશે. ગુજરાતમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ આ ચૂંટણીમાં જંગ તો ભાજપના ત્રીજા અને અંતિમ ઉમેદવાર નરહરિ અમીન તથા કોંગ્રેસના બે ઉમેદવારો તથા વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે છે. ત્યારે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ પોત-પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ભાજપ દ્વારા પોતાના ત્રણેય ઉમેદવારોને જીતાડવામાં ખાસ પ્રકારની વ્યૂહરચના બનાવી છે. જેમાં નારાજ ધારાસભ્યો માટે પ્રોક્સી વોટ કરવા માટેની વ્યૂહરચના તૈયાર કરી છે. જેમાં ભાજપ કેસરીસિંહ સોલંકી માટે પ્રોક્સી વોટ કરાવશે.
ક્રોસ વોટના ભયથી ભાજપની વ્યૂહરચના
ભાજપ કેસરીસિંહ સોલંકી માટે કરાવશે પ્રોક્સી વોટ
ક્રોસ વોટિંગના ભય વચ્ચે પ્રોક્સી વોટ કરાવવાનું આયોજન
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના કેસરીસિંહ ક્રોસ વોટિંગ કરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ક્રોસ વોટના ભયથી ભાજપ દ્વારા વ્યૂહરચના કરવામાં આવી છે. ભાજપ કેસરીસિંહ સોલંકી માટે પ્રોક્સી વોટ કરાવશે. ક્રોસ વોટિંગના ભય વચ્ચે ભાજપ દ્વારા પ્રોક્સી વોટ કરાવવાનું આયોજન કરાયું છે.
ગુરૂવારે કેસરીસિંહની નારાજગીની વાતો સામે આવી હતી. ત્યારે ભાજપે પ્રોક્સી વોટ કરાવવાનું આયોજન કર્યુ છે. મતદાન સમયે કેસરીસિંહને વિધાનસભામાં હાજર રહેવું પડશે. કેસરીસિહના પ્રતિનિધિ તેમના બદલે મતદાન કરશે. આ સાથે અન્ય ધારાસભ્ય શંભુજી ઠાકોર અને પુરુષોત્તમ સોલંકીનું પણ પ્રોક્સી મતદાન કરાશે.