ગુજરાતમાં રાજયસભાની ચૂંટણીને લઇને કવાયત શરૂ થઇ ગઇ છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ભાજપ કેન્દ્રીય સ્તરના એક નેતાને રાજ્યસભામાં મોકલે તેવી શક્યતા જોવાઇ રહી છે. કોંગ્રેસે પણ રાજ્યસભાની ચૂંટણી ક્વાયત હાથ ધરી છે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઇ ખેંચતાણ
ભાજપ કેન્દ્રીય સ્તરના એક નેતાને રાજ્યસભામાં મોકલશે
ભાજપ બીજી બેઠક પર શંભુ પ્રસાદ ટુંડિયાને રિપીટ કરશે
રાજ્યમાં ફરી એકવખત ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજ્યના બે દિગ્ગજ પક્ષ ભાજપ-કોંગ્રેસમાં ચૂંટણીને લઇને ખેંચતાણ જોવા મળી રહી છે. આમ ભાજપ-કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઇને કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
સૂત્રોને મળતી માહિતી મુજબ ભાજપ કેન્દ્રીય સ્તરના એક નેતાને રાજ્યસભામાં મોકલશે. ભાજપ કેન્દ્રમાંતી એક નેતાને રાજ્યસભાની ઉમેદવારી કરાવે તેવી શક્યતા છે. જેમાં ભાજપ બીજી બેઠક પર શંભુ પ્રસાદ ટુંડિયાને રિપીટ કરશે.
જ્યારે બીજી તરફ કોંગ્રેસમાં પણ રાજ્યસભાના ઉમેદવારને લઇને ખેંચતાણ જોવા મળી રહી છે. જેમાં કોંગ્રેસ તરફથી રાજ્યના નેતા શક્તિસિંહ ગોહિલને રાજ્યસભામાં લઇ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જ્યારે બીજી બેઠક પર મધુસુદન મિસ્ત્રીને રિપીટ કરશે તેવુ સૂત્રો જણાવી રહ્યાં છે.
રાજ્યમાં રાજ્યસબાની 4 બેઠકો માટે માર્ચમાં ચૂંટણી યોજાશે. આગામી 26 માર્ચે રાજ્યસભાની 4 બેઠકો માટે મતદાન યોજાશે. ત્યારબાદ 26મી માર્ચે જ મતગણતરી કરવામાં આવશે. આ વર્ષે ભાજપનાં 3 અને કોંગ્રેસના 1 સભ્યની મુદ્દત પુરી થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં રાજ્યસભાની 55 બેઠકો ખાલી થઇ રહી છે. જેને લઇ 26 માર્ચે 7 રાજ્યોની 55 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ અગાઉ સૂત્રોને મળેલી માહિતી મુજબ ભાજપ પોતાના સાંસદને ફરીવાર રિપિટ નહીં કરે તેમ કોંગ્રેસ પણ મધુસુદન મિસ્ત્રીને ફરી રિપિટ નહીં કરે તેવું જાણવા મળ્યું હતું.