વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલને હવે કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. ત્રીજી વનડેમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર લગભગ નિશ્ચિત છે.
બાંગ્લાદેશ ટીમની નજર ઈતિહાસ રચવા પર હશે
સીરિઝની પહેલી બે મેચ હાર્યા પછી ટીમ ઈન્ડિયા 0-2થી પાછળ
ઈશાન કિશનની સાથે રાહુલ ત્રિપાઠી અને રજત પાટીદાર પણ રમી શકે
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વનડે સીરીઝની છેલ્લી મેચ આજે ચટોગ્રામના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં એક તરફ ટીમ ઈન્ડિયા તેની લાજ બચાવવા મેદાનમાં ઉતરશે તો બીજી તરફ યજમાન ટીમની નજર ઈતિહાસ રચવા પર હશે. જણાવી દઈએ કે બાંગ્લાદેશે આ પહેલા પણ ભારતને 2-1થી હરાવ્યું હતું પણ આ વખતે તેની નજર ક્લીન સ્વીપ પર હશે.આ સીરિઝની પહેલી બે મેચ હાર્યા પછી ટીમ ઈન્ડિયા 0-2થી પાછળ છે.
મેચ ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યે શરૂ થશે. છેલ્લી મેચ પહેલા ભારતની સામે ઘણી મુશ્કેલીઓ આવી છે. કેપ્ટન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર દીપક ચહર ઈજાના કારણે બીજી વનડેમાંથી બહાર થઈ ગયા છે જ્યારે વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલને હવે કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. ત્રીજી વનડેમાં ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર લગભગ નિશ્ચિત છે.
રોહિત શર્મા, દીપક ચહર અને કુલદીપ સેન સીરિઝમાંથી બહાર થયા બાદ બીસીસીઆઈએ બોલર કુલદીપ યાદવને ટીમમાં સામેલ કર્યો છે અને ટીમ મેનેજમેન્ટને આશા છે કે આ બોલર બાંગ્લાદેશના બેટ્સમેનોને રન બનાવતા અટકાવશે.આવી સ્થિતિમાં રાહુલ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક આપે છે કે નહીં તે જોવાનું રહેશે.
રોહિતની ઈજાને કારણે વિરાટ કોહલીએ છેલ્લી મેચમાં શિખર ધવનસાથે ઈનિંગની શરૂઆત કરી હતી પણ તે નિષ્ફળ રહ્યો હતો.આવી સ્થિતિમાં કેએલ રાહુલ નિયમિત ઓપનર સાથે જવા ઈચ્છશે.જણાવી દઈએ કે ટીમમાં ઈશાન કિશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે શું રાહુલ બંને ડાબા હાથના બેટ્સમેન સાથે ઈનિંગ્સની શરૂઆત કરશે કે પછી મિડલ ઓર્ડરમાં થોડો ફેરફાર કરીને પોતે ઓપનિંગ કરશે.જો રાહુલ ઓપન કરશે તો ઈશાન કિશનની સાથે રાહુલ ત્રિપાઠી અને રજત પાટીદારના રમવાની આશાઓ પણ વધી જશે.
રોહિતની ગેરહાજરીમાં ઓપનર ઈશાન કિશન અથવા આઈપીએલ સ્ટાર રજત પાટીદારને પ્લેઈંગ-11માં તક મળી શકે છે. જો રજત રમે છે તો તે તેની ડેબ્યૂ મેચ હશે. જો કે રાહુલ ત્રિપાઠી પણ ડેબ્યુ કરવા માટે પોતાના વારાની રાહ જોઈ રહ્યો છે.
💬 💬 "Rohit’s courage with the bat was phenomenal."