રાજસ્થાનના ઉદયપુરમાં નુપૂર શર્માનું સમર્થન કરતી એક પોસ્ટ શેર કરવા પર એક વ્યક્તિની નિર્મમ હત્યા કરાઈ હતી. આ હત્યા મામલે મંગળવારે હોબાળો મચ્યો છે.
રાજસ્થાનમાં કલમ 144 લાગૂ, ઇન્ટરનેટ બંધ
જયપુરથી 600 પોલીસકર્મી ઉદયપુર જવા રવાના
7 કલાક બાદ ઉઠાવાયો મૃતદેહ, પરિવારજનોને 31 લાખનું વળતર
ઉદયપુરમાં એક ટેલરની ધોળાદિવસે હત્યા બાદ પરિસ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. પોલીસે હત્યામાં સામેલ રિયાઝ મોહમ્મદ અને ગોસ મોહમ્મદની રાજસમંદ જિલ્લાથી ધરપકડ કરી લીધી છે. રાજસ્થાનમાં ઘટના બાદ મધ્યપ્રદેશમાં લૉ એન્ડ ઑર્ડર બનાવી રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તો સમગ્ર દેશમાં હાલ પોલીસ અલર્ટ થઇ ચૂકી છે. પોલીસે ઉદયપુરમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું છે. આખા રાજસ્થાનમાં 144 લાગૂ કરી દેવામાં આવ્યું છે. જયપુરથી 600 પોલીસકર્મી ઉદયપુર જવા રવાના થઇ ચૂક્યા છે.
ઉદયપુરમાં ઇન્ટરનેટ બંધ, રાજસ્થાનમાં 144 લાગૂ
રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે બપોરે કનૈયાલાલ હત્યાકાંડ મામલાને લઇને રાજસ્થાન સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સાંપ્રદાયિક માહોલને તણાવપૂર્ણ થવાથી રોકવા માટે આખા રાજ્યમાં કલમ 144 લાગૂ કરવા અને મોબાઇલ ઇન્ટરનેટને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મુખ્ય સચિવ ઉષા શર્મા અને પોલીસ મહાનિર્દેશક મોહનલાલ લાઠરની હાજરીમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક થઈ. આ બેઠક બાદ પ્રદેશના તમામ ડીવીઝનલ કમિશનરો અને જિલ્લા કલેક્ટરોને પોત-પોતાના જિલ્લાઓમાં કલમ 144 લાગૂક રવા અને મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરવાના આદેશ આપ્યા. કેટલાક જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરવાના આદેશ અપાઈ ચૂક્યા છે.
ઉદયપુર હત્યાકાંડમાં NIA કરશે તપાસ
રાજસ્થાનમાં તમામ પોલીસકર્મીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. રિયાઝ અને ગોસ મોહમ્મદની NIA તપાસ કરશે. તાલિબાની રીતે કનૈયાલાલની હત્યા કરી છે.
ઘટનાને લઇને SITની કરાઈ રચના
ઉદયપુરની ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી. જેમાં SOG ADG અશોક રાઠોડ, ATS IG પ્રફુલ કુમાર અને એક SP અને એડિશનલ SP હશે.
7 કલાક બાદ ઉઠાવાયો મૃતદેહ, પરિવારજનોને 31 લાખના વળતરની જાહેરાત
કનૈયાલાલની નિર્મમ હત્યા મામલે 7 કલાક બાદ ઉઠાવાયો મૃતદેહ. મૃતકના પરિવારજનોને 31 લાખના વળતરની જાહેરાત. પરિવારના 2 સભ્યોને કોન્ટ્રાક્ટ પર નોકરીની જાહેરાત કરવામાં આવી છે.
2 પોલીસ અધિકારી સસ્પેન્ડ
ઉદયપુરના ધાનમંડિ પો.સ્ટે.ના SHOને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ધાનમંડિ પોલીસ સ્ટેશનના ASI ભંવરલાલને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે.
હત્યામાં સામેલ રિયાઝ મોહમ્મદનો સામે આવ્યો વીડિયો
હત્યામાં સામેલ રિયાઝ મોહમ્મદનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો રિયાઝે ઘટનાના 10 દિવસ પહેલા 17 જૂને બનાવ્યો છે. વીડિયોમાં રિયાઝ મોહમ્મદ કહે છે, આ વીડિયોમાં જુમાનો દિવસ બનાવી રહ્યો છું. 17(જૂન) તારીખ છે. આ વીડિયોને તે દિવસે વાયરલ કરીશ, જે દિવસે અલ્લાહની શાનમાં ગુસ્તાખી કરનારા શખ્સનું સરકલમ કરી નાખું.
જણાવી દઇએ કે સોશિયલ મીડિયા પર નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા પર મંગળવારે એક ટેલર કનૈયાલાલનું ગળું કાપીને હત્યા કરી નાખી. કહેવામાં આવી રહ્યું છે કે, આ પોસ્ટ તેમના 8 વર્ષના બાળકે કરી હતી.