કોરોના વાયરસના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી સ્કૂલ અને કોલેજ બંધ છે. જો કે કેટલાંક રાજ્યોમાં સ્કૂલ અને કોલેજ ખોલવાની પ્રક્રિયા શરુ થઇ ચૂકી છે. ત્યારે હવે રાજસ્થાનની સરકારે પણ એલાન કર્યું છે કે આગામી 18 જાન્યુઆરીથી સ્કૂલ, કોલેજ અને કોચિંગ સેન્ટર (ટયૂશન કલાસીસ), ડેંટલ, નર્સિંગ તેમજ પેરામેડિકલ કોલેજ 11જાન્યુઆરીથી ખુલશે.
રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે દેશ અને પ્રદેશમાં કોવિડ-19ના નવા સ્ટ્રેનના કેસો સામે આવવા ચિંતાનો વિષય છે. તેના પ્રતિ કોઇપણ પ્રકારની લાપરવાહી મોટું સંકટ ઉભુ કરી શકે છે. જેને ધ્યાનમાં લઇને આ વાયરસથી સૌથી વધારે પ્રભાવિત ઇંગ્લેન્ડ સહિત અન્ય દશોમાથી આવેલા યાત્રીઓ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.
CM ગેહલોતે મંગળવારના રોજ મુખ્યમંત્રી નિવાસ પર વીડિયો કોન્ફરન્સથી કોવિડ-19ની સમીક્ષા કરી રહ્યાં હતા. ગેહલોતે કહ્યું કે નવા સ્ટ્રેનના કારણે ઇંગ્લેન્ડમાં જે રીતે ભયાનક સ્થિતિ ઉભી થઇ ગઇ છે અને ત્યાં ફરી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેની પાસેથી શીખ લેતા આપણે પણ વિશેષ તકેદારી રાખવાની આવશ્યકતા છે. ગેહલોતે આદેશ આપતા કહ્યું કે નવા સ્ટ્રેનને લઇને પ્રદેશની અને કેન્દ્ર સરકારને જરૂરી સૂચનો જલ્દી મોકલે.
મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું તંત્રની સારી કામગીરી તેમજ પ્રદેશની જનતાના સહયોગથી રાજસ્થાનમાં કોરોનાની સ્થિતિ ઘણી નિયંત્રણમાં છે. રિકવરી રેટ વધીને અત્યાર સુધીના સર્વોચ્ચ 96.31 ટકા થઇ ગયો છે. કેટાલંક જિલ્લામાં પઝિટિવ કેસ શૂન્ય હોવાની સાથે જ અન્ય જિલ્લામાં પણ સ્થિતિ ઘણી સારી છે.
નાસિકમાં સ્કૂલ ખુલા જ કોરોના વિસ્ફોટ
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં છેલ્લા સાત મહિના બાદ 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સોમવારથી શાળાઓ ખોલવામાં આવી છે. જો કે, ડ્યૂટી શરૂ થયાં પહેલા જ 62 શિક્ષકો કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જાહેરાત આપવામાં આવી હતી કે, ગ્રામીણ અને શહેર વિસ્તારમાં 1,324 શાળાઓમાંથી લગભગ 846 શાળાઓમાં ધોરણ 9થી 12ના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે.
બિહારમાં શાળાઓ, કોલેજો પણ ખોલવામાં આવી
બિહારમાં સોમવારથી શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ખુલી છે. કોવિડ -19 રોગચાળા બાદ રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ લગભગ નવ મહિના પહેલા બંધ કરવામાં આવી હતી. એવું લાગે છે કે કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં ઘટાડો અને રિકવરી રેટ 97.61 ટકા હોવાને કારણે, રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં ભૌતિક પુન:સ્થાપન અંગે વિશ્વાસ છે. શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ સંજય કુમારે રવિવારે જણાવ્યું હતું કે, જોકે કુલ વિદ્યાર્થીઓમાંથી અડધા વિદ્યાર્થીઓ સાથે વર્ગો લેવામાં આવશે અને કોરોના વાયરસની અન્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરવું પડશે.
આ રાજ્યમાં અડધો દિવસ જ ચાલે છે શાળા
આ સિવાય પોંડિચેરીમાં પણ શાળાઓ ખોલી દેવામાં આવી છે અને સરકારની ગાઈડલાઇન અનુસાર માત્ર અડધો દિવસ સુધી જ શાળાઓમાં શિક્ષણકાર્ય કરવામાં આવશે. ઝારખંડમાં દસમા અને બારમાં ધોરણ માટે શાળાઓ ખોલાઈ છે કારણ કે થોડા મહિના બાદ બોર્ડની પરીક્ષા કરવામાં આવશે.
અરુણાચલ પ્રદેશમાં સરકારે ધોરણ 8થી 11 સુધીના બાળકો માટે શાળાઓ ખોલી છે. ધો. 10 અને 12 માટે નવેમ્બર મહિનામાં જ શાળાઓ ખૂલી ગઈ હતી. મહિનાઓ બાદ હવે શાળાઓ નિયમિત રૂપે કામ કરી રહી છે.