નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે કમલનાથની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજસ્થાન સીએમને લઇને મથામણો ચાલી રહી હતી. ત્યારે હવે અશોક ગેહલોત રાજસ્થાનના નવા મુખ્યમંત્રી હશે. તેમના નામ પર સહમતિ દર્શાવાય છે. ત્યારે સચિન પાયલટ રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી બનશે.
મહત્વનું છે કે કોંગ્રેસને 99 બેઠક મળી ભાજપને 73 બેઠકો મળી બસપાને 6 બેઠકો જ્યારે અન્યને 21 બેઠકો મળી હતી.
રાજસ્થાનમાં સીએમનાં નામને લઈને કેટલાંય સમયથી પેંચ ફસાયો હતો. ત્યારે આખરે હવે રાજસ્થાનનાં સીએમનાં નામ પર મહોર મારી દેવામાં આવી છે. એટલે કે અશોક ગેહલોતને રાજસ્થાનનાં સીએમ અને સચિન પાયલટને ડે.સીએમ બનાવવામાં આવ્યાં.
મહત્વનું છે કે જયપુરમાં પ્રદર્શન બાદ સચીન પાયલટનાં સમર્થકો ગઇ કાલે દિલ્હી પહોંચ્યાં હતાં. જ્યાં સચીન પાયલટનાં સમર્થકો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું. હતું. સચીન પાયલટનાં સમર્થકોએ સુત્રોચ્ચાર પણ કર્યા હતાં.
જો કે છેલ્લાં બે દિવસથી ચાલી રહેલી અટકળોમાં પણ રાજસ્થાનમાં સીએમ માટે અશોક ગહેલોતનું નામ આગળ ચાલી રહ્યું હતું. જેથી સચીન પાયલટનાં સમર્થકો દ્વારા ગઇ કાલે પ્રદર્શન કરવામાં આવતા વરિષ્ઠ નેતાઓ પણ ગઈ કાલે નારાજ થયાં હતાં.
હવે રાહુલ ગાંધી દ્વારા અશોક ગેહલોતના નામ પર અંતિમ મહોર મારી દેવામાં આવી છે. જ્યારે સચિન પાયલટને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.