બૂંદીની જિલ્લા હોસ્પિટલમાં તંત્ર-મંત્ર અને ટોટકા ચાલી રહ્યા હતા. અહીં લોકો પોતાના મૃતક પરિજનોના આત્મા લેવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
રાજસ્થાનમાંથી અંધવિશ્વાસનો કિસ્સો સામે આવ્યો
તંત્ર મંત્ર સાથે હોસ્પિટલમાં કર્યા ધતિંગ
આત્મા લેવા માટે પરિવાર હોસ્પિટલમાં પહોંચ્યો
વિકાસ માટે હરણફાળ ભરી રહેલા રાજસ્થાનમાં અંધવિશ્વાસે બરાબરનો અડ્ડો જમાવ્યો છે. બૂંદી જિલ્લામાં અંધવિશ્વાસના કારણે આત્માને રીઝવવાના ધતિંગ ચાલતા હોય છે. ભીલવાડા વિસ્તારમાં સારવારના નામ પર માસૂમ બાળકોને ગરમ સળિયા વડે ડામ આપવાની બાબતો સામાન્ય બની ગઈ છે, ત્યારે હવે સોમવારે વધુ એક કિસ્સો બૂંદીમાંથી સામે આવ્યો છે. બૂંદીની જિલ્લા હોસ્પિટલમાં તંત્ર-મંત્ર અને ટોટકા ચાલી રહ્યા હતા. અહીં લોકો પોતાના મૃતક પરિજનોના આત્મ લેવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, બૂંદી જિલ્લાની હોસ્પિટલમાં સોમવારે એક પરિવાર પોતાના મૃતક પરિજનો છીતર સૈનીની આત્મને લેવા માટે પહોંચ્યા હતા. છીતર સૈનીના દિકરાએ જણાવ્યું હતું કે, વર્ષ 1984માં તેના પિતાનું જિલ્લાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. ગામમાં થયેલા ડખ્ખામાં તેઓ ઘાયલ થઈ ગયા હતા. જો કે, પરિવારમાં છેલ્લા 2 વર્ષથી ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. ઘરકંકાશ વધી રહ્યા છે. પુત્રવધુમાં પણ દેવતાનો પછડાયો હોવાનું કહેવાય છે. દેવતાએ જ તેને હોસ્પિટલમાંથી પિતાને લાવવા માટે કહ્યું હતું. ત્યારે આવા સમયે આખો પરિવાર ભૂવા અને તાંત્રિક સાથે હોસ્પિટલમાં પિતાના આત્માને લેવા માટે પહોંચ્યા હતા.
જિલ્લા હોસ્પિટલમાં પોલીસ પહોંચી
હોસ્પિટલમાં લગભગ એક કલાક સુધી ગેટ પર આ બધા તુતક ચાલતા રહ્યા. પણ હોસ્પિટલ તંત્રએ તેમને રોક્યા નહીં. તે સમયે હોસ્પિટલના ગેટ પર ઘણા દર્દીઓ પણ હતા. આ નજારો જોઈને ભીડ પણ ભેગી થઈ ગઈ. આ તંત્ર મંત્રને કારણે હોસ્પિટલમાં આવતા લોકોને પણ ભારે અગવડ થઈ. કર્મકાંડ પુરા થયા બાદ પોલીસ આવી. પોલીસે તેમને હટાવ્યા, પણ ત્યાં સુધીમાં તો વિધિ પુરી થઈ ચુકી હતી. ત્યાર બાદ પરિવાર કથિત રીતે આત્માને લઈને ત્યાંથી નિકળી ગયા.
20 મીનિટ સુધી વિધિ ચાલી
હોસ્પિટલમાં મહિલાઓ દેવતાના ગીતો ગાતી, પોતાના પરિજનને આત્માને લેવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. મહિલાઓ ભૂવાના જણાવ્યા અનુસાર જગ્યા પર પૂજા વિધિ સામાન રાખી દીધો. લગભગ 20 મીનિટ સુધી આ પૂજા વિધિ અને તંત્ર મંત્ર ચાલ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટર પણ તમાશો જોતા રહ્યા. થોડી વારમાં મહિલાઓ અને તાંત્રિત કથિત રીતે આત્મા લઈને ત્યાંથી નિકળી ગયા હતા.