રાજસ્થાનમાં પૂજારીની હત્યાના પડઘા બનાસકાંઠામાં પડ્યા છે એટલું જ નહીં પરંતુ અહીં આ અંગે સરકાર પાસે પૂજારીની હત્યાના આરોપીઓને ફાંસ અને પરિવારને વલતરની માંગ કરાઈ રહી છે. ત્યારે ગુજરાતના બ્રહ્મ સમાજ દ્વારા પણ આ વાતના પડઘા પાડવામાં આવ્યા છે.
પરિવારમાં તેમની પત્ની ઉપરાંત 6 પુત્રીઓ અને એક પુત્ર
જસ્થાન સરકાર ન્યાય નહિ આપે તો રાજ્યપાલને રજૂઆત કરાશે.
શું છે ઘટના?
બનાસકાંઠામાં રાજસ્થાનના કરોલીમાં થયેલી પૂજારીની હત્યાને લઇ બ્રહ્મ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પૂજારીના પરિવારને 50 લાખ સહાય તેમજ પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાને લઇને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. રાજસ્થાન સરકાર ન્યાય નહિ આપે તો રાજ્યપાલને રજૂઆત કરાશે.
શું છે ઘટના?
રાજસ્થાનના કરોલી જિલ્લાના સપોટરા પોલિસ સ્ટેશન વિસ્તારના બકૂના ગામમાં મંદિરની જમીનને લઈ બે પક્ષોમાં થયેલા વિવાદમાં પૂજારીને પેટ્રોલ નાખી જીવતો સળગાવી દેવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા પૂજારીએ જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દમ તોડી દીધો.
પરિવારમાં તેમની પત્ની ઉપરાંત 6 પુત્રીઓ અને એક પુત્ર
પુજારી બાબુલાલ વૈષ્ણવના પરિવારમાં તેમની પત્ની ઉપરાંત 6 પુત્રીઓ અને એક પુત્ર છે. પરિવારે ગુનેગારોને કડક સજા કરવાની માંગ કરી છે. પુજારીની પત્ની વિમલા દેવીએ ન્યાયની માંગ કરતા કહ્યું હતું કે ગુનેગારોને ફાંસી આપવી જોઇએ. અન્ય એક સબંધીએ માંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તંત્ર પાસેથી પરિવારને 50 લાખ રૂપિયા અને બાબુલાલના પુત્રને સરકારી નોકરીની માંગ કરી.