રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે બાજી પલટી દીધી છે. ઉપમુખ્યમંત્રી સચિન પાયલટની બગાવતથી ગેહલોત સરકાર પર સંકટ છવાયું છે. આ પછી સીએમ નિવાસ સ્થાનમાં ગેહલોતે પોતાના સમર્થક ધારાસભ્યોની મીડિયા સામે પરેડ કરાવી છે. ગેહલોત સરકારે દાવો કર્યો છે કે તેમની પાસે 109 ધારાસભ્યો છે એટલે કે તે બહુમતના આંક 101થી વધારે છે. જો કે સચિન પાયલટનું કહેવું છે કે તેમની પાસે 25 ધારાસભ્યો છે.
સચિન પાયલટની કોંગ્રેસ સાથે બગાવત
અશોક ગેહલોતે કર્યું ધારાસભ્યોનું શક્તિપ્રદર્શન
વિક્ટરી સાઈન સાથે કર્યું શક્તિ પ્રદર્શન
जयपुर: राजस्थान में मुख्यमंत्री अशोक गहलोत के निवास पर विक्ट्री का निशान दिखाते मुख्यमंत्री अशोक गहलोत, रणदीप सिंह सुरजेवाला, अजय माकन और अन्य कांग्रेस नेता। #Rajasthanpic.twitter.com/27O30IKenT
જયપુરમાં સીએમ નિવાસ સ્થાને શક્તિ પ્રદર્શન પહેલાં દિલ્હી ગયેલા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ સચિન પાયલટને બેઠકમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, સુરજેવાલાએ કહ્યું હતું કે રાજસ્થાનનું હિત વ્યક્તિગત સ્પર્ધાથી વધુ છે. સુરજેવાલાએ દરેક મંત્રીઓ, ધારાસભ્યો અને ઉપમુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં આવવાની વાત કરી હતી.
ગેહલોતે બતાવી વિક્ટરી સાઈન
જયપુરમાં સીએમ નિવાસસ્થાને અશોક ગેહલોતે ધારાસભ્યોની પરેડ કરાવી. ગેહલોત સરકારે 109 ધારાસભ્યોનો દાવો કર્યો છે. ધારાસભ્યોની પરેડ કરકાવીને કોંગ્રેસ નેતાએ સરકાર રચવાની વાત પણ કરી છે.
સચિન પાયલટનો દાવો અલગ
ધારાસભ્યોના શક્તિ પ્રદર્શન પહેલાં સચિન પાયલટે કહ્યું કે તેની પાસે 25 ધારાસભ્યો છે. સચિન પાયલટે એમ પણ કહ્યું છે કે અશોક ગેહલોત 100થી વધારે ધારાસભ્યોનો દાવો કરી રહ્યા છે તે ખોટો છે.