રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના રાજીનામાને લઈને એક મોટો ખુલાસો કર્યો છે.
રાજસ્થાનના સીએમ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહ્યાં છે
રાહુલના નિવેદન બાદ સીએમ પદ છોડે તેવી શક્યતા
રાજીનામાને લઈને સીએમ ગેહલોતે કર્યો મોટો ખુલાસો
કહ્યું, ઓગસ્ટમાં સોનિયા ગાંધીને રાજીનામાની ઓફર કરી હતી
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહ્યાં છે અને જો તેઓ અધ્યક્ષ પદે ચૂંટાય તો તેમણે રાહુલના કહેવા પ્રમાણે સીએમ પદ છોડવું પડશે અને હવે તેમણે રાજીનામાને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. અશોક ગેહલોતે કહ્યું કે મેં ઓગસ્ટમાં સોનિયા ગાંધીને મારા રાજીનામાની ઓફર પણ કરી હતી. મને રાજસ્થાન માટે ખૂબ પ્રેમ છે અને રહેશે. મને કોંગ્રેસ ઘણું બધું આપ્યું છે અને મને લાગે છે કે હવે નવા નેતાને તક મળવી જોઈએ.
जैसलमेर में श्री तनोट राय मंदिर में दर्शन एवं पूजा-अर्चना कर तनोट माता से सभी की सुख-समृद्धि एवं खुशहाली के लिए प्रार्थना की। पीसीसी अध्यक्ष श्री गोविन्द सिंह डोटासरा एवं मंत्री श्री प्रताप सिंह खाचरियावास भी साथ रहे। pic.twitter.com/HLLDCLkpmw
ધારાસભ્ય દળની બેઠક બાદ નવા મુખ્યમંત્રીનો નિર્ણય
રાજસ્થાનના નવા સીએમ કોણ બનશે તે સવાલના જવાબમાં ગેહલોતે કહ્યું કે, ધારાસભ્ય દળની બેઠક બાદ તેનો નિર્ણય લેવામાં આવશે. ગેહલોતે કહ્યું કે હું સીએમ હોઉં કે અધ્યક્ષ, મારો સંદેશ પ્રેમનો રહેશે. હું ઈચ્છું છું કે હું યુવાનો અને વિદ્યાર્થીઓ માટે શક્ય તેટલું વધારે કામ કરું. કોઈ પણ ભોગે ક્યાંય પણ તણાવ અને હિંસા ન થવી જોઈએ. આપણા નેતાઓ ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીએ દેશ માટે જીવ આપ્યો, પરંતુ દેશને એકજૂટ રાખવાનું કામ કર્યું.
जैसलमेर में तनोट विजय स्तंभ पर सीमाओं की सुरक्षा में स्वयं को समर्पित करने वाले अमर शहीदों को पुष्पचक्र अर्पित कर श्रद्धांजलि दी। pic.twitter.com/4HtD3XMj3s
ગેહલોતે રવિવારે જૈસલમેર જઈને તનોટ માતાના દર્શન કર્યાં હતા અને દેશમાં શાંતિની પ્રાર્થના કરી હતી. પૂજા અર્ચના બાદ ગેહલોતે કહ્યું કે ધરતી પર માત્ર મનુષ્યનું જ કલ્યાણ થાય, કારણ કે હું રાજ્યનો મુખ્યમંત્રી છું, તેથી હું ઈચ્છું છું કે રાજ્યના મારા લોકોના ચહેરા પર હંમેશા ખુશી દેખાય.
રાજસ્થાનમાં આજે ધારસભ્ય દળની બેઠક, નવા સીએમનું નામ નક્કી થશે
કોંગ્રેસે રાજસ્થાનમાં ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે, જેમાં રાજ્યના નવા મુખ્યમંત્રીની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. હાઈ કમાન્ડે દિલ્હીથી મલ્લિકાર્જુ ખડેગેને જયપુરમાં મોકલ્યાં છે. બેઠકમાં નવા સીએમનું નામ નક્કી થયા બાદ સીએમ અશોક ગેહલોત આજે રાજસ્થાનના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી શકે છે.
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા શરુ
શનિવારથી કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સીએમ ગેહલોત ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેમના પદ પરથી રાજીનામું આપશે.