રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી પદ પરથી દૂર કરાયા બાદ સચિન પાયલટે પોતાનું મૌન તોડી નાંખ્યું છે. ઇંડિયા ટુડે મેગેઝીન સાથેની એક ખાસ વાતચીતમાં સચિન પાયલટે કહ્યું કે હું સો વખત કહી ચૂક્યો છું કે ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાઇ રહ્યો. છેલ્લા 5 વર્ષ દરમિયાન મે ભાજપ વિરુધ્ધ લાંબી લડાઇ લડી છે.
ઇંડિયા ટુડે સાથેની વાતચીત કરતાં કહ્યું કે સચિન પાયલટે કહ્યું કે હું રાજસ્થાન કોંગ્રેસની સાથે રહીને ભાજપ સામે લડાઇ લડી છે. જો કોઇ વ્યક્તિ અથવા પાર્ટી રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી રહી છે તો એવુ ન માની શકાય કે હું તેમા સામેલ થઇ જઇશ.
સચિન પાયલટે કહ્યું કે જે લોકો કહી રહ્યાં છે કે હું ભાજપમાં સામેલ થવાનું છું, તેઓ મારી છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. મને ઉશ્કેરવા તેમજ પદ પરથી દૂર કરવા છતાં મે પાર્ટી વિરુદ્ધ કોઇ અપશબ્દ કહ્યાં નથી. અમે ભવિષ્ય માટે પોતાની રણનીતિ તૈયાર કરવા જઇ રહ્યાં છે.
ઇંડિયા ટુડે સાથેની વાત કરતા સચિન પાયલટે કહ્યું કે મે 100 વખત કહ્યું છે કે હું ભાજપમાં સામેલ થઇ રહ્યો નથી. દિલ્હીમાં બેસેલા લોકોના મગજમાં નાંખવા વિરોધી કેમ્પના લોકો તરફથી આ અફવા ફેલાવામાં આવી રહી છે.
ભવિષ્યને લઇને સવાલ પુછવામાં આવતા સચિન પાયલટે કહ્યું કે થોડી પરિસ્થિતિને શાંત થવા દો, અત્યારે 24 કલાક પણ થયા નથી. હું અત્યારે પણ કોંગ્રેસનો કાર્યકર્તા છું. મારે મારા સમર્થકો સાથે પગલાને લઇને ચર્ચા કરવી છે. હું પહેલા જ સ્પષ્ટ કરી દેવા માગુ છું કે હું ભાજપમાં સામેલ થઇ રહ્યો નથી.