રાજસ્થાનના રાજકીય સંકટ પર કોંગ્રેસના ભાજપ પર પ્રહાર, કોંગ્રેસ નેતા રાણદીપ સુરજેવાલાએ કહ્યું- ચૂંટાયેલી સરકારને પાડવાનું ભાજપનું ષડયંત્ર નિષ્ફળ રહ્યું, કોંગ્રેસે પાયલટ જેવા નેતાને અનેક પદ આપ્યા છે.
રાજસ્થાનમાં રાજકીય સંકટ પર કોંગ્રેસની પત્રકાર પરિષદ
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાના ભાજપ પર પ્રહાર
"ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનું ષડયંત્ર નિષ્ફળ"
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન રાજકીય સંકટ પર કોંગ્રેસ નેતા રાણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, અમે બે બેઠકો બોલાવી પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યોને અનેક વખત આમંત્રણ આપ્યું, તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, સોનિયા-રાહુલ ગાંધીએ પણ અનેક વખત પાયલટને અપીલ કરી
સરકારને તોડી પાડવાનું ભાજપનું ષડયંત્ર હતું જે નિષ્ફળ નિવડ્યું
રાજસ્થાનમાં રાજકીય સંકટ પર ફરી એકવાર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું કે ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનું ભાજપનું ષડયંત્ર હતું. જે નિષ્ફળ નિવડ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સચિન પાયલોટને લઈ સુરજેવાલાએ કહ્યું કે પાયલટ અને અન્ય ધારાસભ્યોને કોંગ્રેસે આગ્રહ કર્યો હતો કે કોઇ મતભેદ હોય તો ઘરની અંદર રજૂઆત કરો. ધારાસભ્યદળની બેઠક માટે પણ આમંત્રણ અપાયુ હતું પરંતુ તે આવ્યા નહીં.
We've seen Sachin Pilot's statement that he won't join BJP. I'd like to tell him that if you don't want that, then immediately come out of the security cover of BJP's Haryana govt, stop all conversations with them & come back to your home in Jaipur: Randeep S Surjewala, Congress pic.twitter.com/OE9DFOPPaH
આ સાથે જ સુરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, તો યુવા પાયલટને કોંગ્રેસે અનેક પદો આપ્યા છે. તો મતભેદ બાદ પણ અડધો ડઝનથી વધારે વખત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ વાતચીત કરી. પાયલોટને મીડિયા સામે નિવેદન આપવા પણ કહ્યું હતું. પરંતુ અમારા પ્રયાસોનો જવાબ ન મળતા કાર્યવાહી કરવી પડી.
ભાજપના રિસોર્ટમાંથી બહાર આવી વાત કરે પાયલટ
તો સચિન પાયલોટે કહ્યું છે કે તેઓ ભાજપમાં સામેલ નહીં થાય. તેના પર સુરજેવાલાએ કહ્યું કે જો પાયલટને ભાજપમાં ન જવુ હોય તો કોંગ્રેસમાં પરત આવે અને ભાજપે બુક કરાવેલા રિસોર્ટમાંથી બહાર નીકળી પોતાના ઘર જયપુરમાં પરત આવે. ભાજપ સાથે વાતચીત અને સંવાદ બંધ કરે.