છેલ્લા ત્રણ દિવસથી રાજસ્થાનના રણમાં રાજકીય તોફાન આવી ગયું છે. સત્તામાં વર્ચસ્વની લડાઈમાં સીએમ અને ડેપ્યુટી સીએમ સામસામે છે. અશોક ગેહલોતે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક બોલાવી જેમાં તેમને જ નેતા માનવામાં આવ્યા ત્યાં બીજી તરફ સચિન પાયલટને અશોક ગેહલોત મંજૂર નથી. સચિનના સમર્થક ધારાસભ્ય કહી રહ્યા છે કે જ્યાં સુધી સચિને સીએમ ન બનાવો અમે પાછા નથી આવવાના.
રાજસ્થાનમાં રાજકીય ઉથલ-પાથલ યથાવત
પોતાનો ગઢ સુરક્ષિત કરવામાં લાગ્યા અશોક ગેહલોત
સચિનને સીએમ બનાવવા સમર્થક ધારાસભ્યની માંગ
રાજસ્થાનના ધારાસભ્યોની બેઠકમાં સામેલ ન થયા સચિન
રાજસ્થાન રાજકારણમાં અત્યારે તોફાન આવી ગયું છે. પાર્ટીમાં જ વિદ્રોહ કરનારા સચિન પાયલટ કોઈ પણ ભોગે માનવા તૈયાર નથી. ત્યાં અશોક ગેહલોતે પણ ધારાસભ્યોને એકઠા કરીને પોતાની તાકાતનો પરિચય કરાવી દીધો છે. કોંગ્રેસ ધારાસભ્યો દળની બેઠક કરવામાં આવી જેમાં લીડરશીપ બદલવા પર કોઈ જ ચર્ચા કરવામાં નહીં આવે. બધા ધારાસભ્યો અશોક ગેહલોતનું જ સમર્થન કરી રહ્યા છે એવામાં આ સચિન માટે એક મોટો ઝટકો હોઈ શકે છે.
સૂત્રો અનુસાર ગેહલોતને હટાવવા માંગે છે સચિન
પ્રિયંકા અને રાહુલ ગાંધીના પ્રયાસ બાદ પણ સચિન પાયલટ માનવા તૈયાર નથી. જયપુરમાં આજે મળનારી બેઠકમાં પાયલટ પહોંચ્યા નથી. સૂત્રો અનુસાર સચિન પાયલટનું પાર્ટીના નેતાઓ સામે નિવેદન છે કે જ્યાં સુધી ગેહલોત CM હશે ત્યાં સુધી હું નહીં જાઉ. પાયલટે કહ્યું કે પાર્ટીમાં મહેનતુ અને સક્ષમ લોકોની કદર નથી થઈ રહી.
ભંવરલાલ શર્માએ સચિનને સીએમ બનાવવાની કરી માંગ
સચિન પાયલટ જૂથના ભંવરલાલ શર્માનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે દાવો કર્યો છે કે '22 MLAનું સમર્થન સચિન પાયલટની સાથે છે. તેમણે કહ્યું કે રાજસ્થાનના CM પાયલટને બનાવવામાં આવે અને ગેહલોતને હટાવાશે તો જ પાર્ટીમાં પરત ફરીશું.' આ સિવાય તેમણે કહ્યું કે અમારી ભાજપમાં જવાની કોઇ યોજના નથી.