રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં હાઈકોર્ટ તરફથી સચિન પાયલટને રાહત મળ્યા બાદ અશોક ગેહલોતના સમર્થક નેતાઓમાં હલચલ જોવા મળી રહી છે. રાજ્યમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ આમને સામને આવી ગયા છે.
સચિન પાયલટને રાહત મળ્યા રાજસ્થાનમાં હલચલ
વિધાનસભા સત્ર બોલાવવાની જીદ લઈને બેઠા અશોક ગેહલોત
રાજભવનમાં અશોક ગેહલોતના ધારાસભ્યોનો હલ્લાબોલ
નોંધનીય છે કે સચિન પાયલટ પર નિર્ણય આવ્યા બાદ અશોક ગેહલોતે રાજ્યપાલને વિધાનસભા સત્ર બોલાવવાની માંગણી કરી હતી જે બાદ રાજ્યપાલે કોરોના વાયરસનો હવાલો આપી માંગણીનો અસ્વીકાર કર્યો છે. જે બાદ અશોક ગેહલોત પોતાના ધારાસભ્યોને લઈને રાજભવન પહોંચી ગયા છે જ્યાં ધારાસભ્યો નારાબાજી કરી રહ્યા છે.
#WATCH Rajasthan: Congress MLAs supporting Chief Minister Ashok Gehlot sit and raise slogans at Raj Bhawan.
The Chief Minister had met Governor Kalraj Mishra this afternoon over the issue of the convening of the Assembly Session. pic.twitter.com/m6XhwwMuM2
રાજભવન પરીસરમાં કોંગ્રેસના ધારાસભ્યો અશોક ગેહલોતના સમર્થનમાં નારાબાજી કરી રહ્યા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રા ધરણા પર બેઠેલા ધારાસભ્યોને મળવા પહોંચ્યા. જે બાદ રાજ્યપાલ કલરાજ મિશ્રાનું કહેવું છે કે મામલો સર્વોચ્ચ અદાલતમાં છે એવામાં વિચાર વિમર્શ માટે સમયની આવશ્યકતા છે.
નોંધનીય છે કે આ પહેલા સીએમ અશોક ગેહલોતે કહ્યું હતું કે રાજ્યપાલે કોઈના દબાણમાં આવ્યા વગર વિધાનસભા સત્ર બોલાવવું જોઈએ. નહીં તો પછી રાજ્યના નાગરિકો રાજભવનનો ઘેરાવ કરવા આવી જશે તો અમારી કોઈ જવાબદારી નહીં રહે.
#WATCH: "We are going to the Governor to request him to not come under pressure (and call Assembly session)... varna fir ho sakta hai ki pure pradesh ki janta agar Raj Bhawan ko gherne ke liye aagai, to hamari zimmedari nahi hogi," says Rajasthan CM Ashok Gehlot https://t.co/2UaH94tTrBpic.twitter.com/ODEq7PZGei
આજે જ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે હાઇકોર્ટ તરફથી સચિન પાયલટના જૂથને રાહત મળી હતી. હાઇકોર્ટે વિધાનસભા સ્પીકરની નોટિસ પર રોક લગાવી દેતા વિધાનસભાના સ્પીકર ધારાસભ્યોને અયોગ્ય કરાર નહીં કરી શકે.