રાજસ્થાનના રણમાં સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે ત્યારે સ્પીકરની નોટીસ બાદ સચિન પાયલટ કોર્ટ પહોંચ્યા હતા. કોર્ટમાં 12 વાગે બંને પક્ષોની સુનાવણી પૂર્ણ થઇ. નોંધનીય છે કે કોંગ્રેસ તરફથી અનેક વાર કહેવામાં આવ્યું કે પાર્ટીના દરવાજા ખુલ્લા છે પરંતુ રાજ્યમાં અશોક ગેહલોત ખુલીને વિરોધ કરી રહ્યા હતા. એવામાં બધાની નજર કોર્ટ પર જ હતી.
રાજસ્થાનના રણમાં રાજનીતિક તોફાન વચ્ચે કોર્ટનો નિર્ણય
સ્પીકરની નોટીસ બાદ સચિન પાયલટ પહોંચ્યા હતા કોર્ટ
રાજસ્થાનમાં રાજનીતિક સંકટ વચ્ચે હાઈકોર્ટે સચિન પાયલટને 24 જુલાઈ સુધી સમય આપ્યો છે. હાઈકોર્ટે સ્પીકર સીપી જોશીને આદેશ આપ્યો છે કે 24 જુલાઈ સુધી કોઈ પણ કાર્યવાહી ના કરે. હવે હાઈકોર્ટમાં 24 જુલાઈએ ચુકાદો આપવામાં આવશે.
કેમ મહત્વનો છે કોર્ટનો નિર્ણય
રાજસ્થાનમાં એક તરફ જ્યાં કોંગ્રેસ અને અશોક ગેહલોત સચિન પાયલટ પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે ત્યાં બીજી તરફ સચિન પાયલટનું માનવું છે કે તે પાર્ટીમાં રહીને જ લડાઈ લડશે એવામાં સચિનને ધારાસભ્ય પદથી હટાવવાની નોટીસ બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સચિન પાયલટનું કહેવું છે કે સરકાર પાડવા માટે તેમણે કોઈ ગતિવિધિ નથી કરી તે માત્ર પોતાની વાત મૂકવા માંગતા હતા.
આજે ફરી અશોક ગેહલોતે કરી બેઠક
સચિન પાયલટ એક તરફ પોતાના ધારાસભ્યને લઈને રાજ્યની બહાર છે ત્યાં બીજી તરફ અશોક ગેહલોતે પણ પોતાનો ગઢ બચાવવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું. કેટલાક દિવસોથી અશોક ગેહલોતના સમર્થક ધારાસભ્યો હોટેલમાં છે જ્યાં આજે પણ સવારે ધારાસભ્યોની બેઠક કરવામાં આવી જેમાં અશોક ગેહલોત પણ હાજર રહ્યા.
સ્પીકરની નોટીસ પર ઉઠાવ્યા સવાલ
આજે કોર્ટમાં સુનાવણી દરમિયાન સચિન પાયલટના વકીલ મુકુલ રોહતગીએ અદાલતમાં દલીલ કરીને કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે નોટીસનો જવાબ આપવા માટે માત્ર ત્રણ દિવસનો જ સમય આપવામાં આવ્યો જોકે નિયમો અનુસાર સાત દિવસ સુધી મળવી જોઈએ.
તેમણે નોટીસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે એક તરફ 19 ધારાસભ્યોને જવાબ આપવા માટે ત્રણ દિવસનો જ સમય આપવામાં આવ્યો અને બીજી તરફ બસપાના ધારાસભ્યોને કોંગ્રેસમાં લાવવા બદલ થયેલ ફરિયાદમાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી.