રાજસ્થાનમાં અશોક ગેહલોત અને પ્રદેશ અધ્યક્ષની સાથે જ ગેહલોત સરકારના નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા સચિન પાયલટ વચ્ચેના રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસે પાયલટની હકાલપટ્ટી કરી છે. ત્યારે હવે ગેહલોત સરકારને બચાવવાની તૈયારીમાં જોતરાયેલી કોંગ્રેસ વાયરલ થયેલ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની કથિત ઓડિયો ટેપના આધાર લઇને સમગ્ર સંકટ માટે ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યું છે.
લાંબા સમય બાદ વસુંધરા રાજેએ તોડ્યુ મૌન
રાજસ્થાનની રાજકીય પરિસ્થિતિ અંગે કર્યુ ટ્વીટ
કોંગ્રેસની આંતરિક લડાઇનું પરિણામ જનતા ભોગવી રહી છે-રાજે
કોંગ્રેસે ભાજપ પર ગેહલોત સરકારને અસ્થિર કરવા ધારાસભ્યોની ખરીદી-વેચાણનો આરોપ લગાવ્યો હતો. હવે ભાજપ વતી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ મૌન તોડીને મોરચો સંભાળ્યો છે.
વસુંધરા રાજેએ ટ્વીટ કરીને કોંગ્રેસ પર કર્યો પ્રહાર
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી રહી ચુકેલા વસુંધરા રાજેએ ટ્વીટ કર્યું છે કે કોંગ્રેસ, ભાજપ અને ભાજપ નેતૃત્વને દોષી ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સરકાર માટે ફક્ત અને માત્ર જાહેર હિત સર્વોચ્ચ હોવું જોઈએ. તેમણે કટાક્ષ કરતા કહ્યું છે કે કોઈપણ સમયે જનતા વિશે વિચારો.
ભાજપ પર દોષના ટોપલા ઢોળી રહી છે કોંગ્રેસ
પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે રાજસ્થાનની જનતા આજે આંતરિક ઝઘડાનું નુકસાન પ્રજા સહન કરી રહી છે. તે આટલેથી અટક્યા નહીં. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાને કારણે 500 થી વધુ મોત થયા છે. તો તીડ પણ ખેડુતોના ખેતરો પર સતત હુમલો કરી રહી છે. મહિલાઓ સામેના ગુનાઓએ હદ વટાવી દીધી છે. રાજ્યમાં વીજળીની સમસ્યા ચરમસીમાએ છે. આવા સમયે કોંગ્રેસ ભાજપ પર દોષારોપણ કરવાનો પ્રયાસ કરી રહી છે.
આડિયો ટેપ વાયરલ થયાં બાદ મામલો વધુ બિચક્યો
નોંધપાત્ર વાત એ છે કે, ક્ષેત્રફળના મામલે સૌથી મોટા રાજ્યમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ગેહલોત સરકારમાં નાયબ મુખ્યમંત્રી અને અને શાસક પક્ષ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ વચ્ચે શરૂ થયેલી સત્તા સંઘર્ષમાં ઓડિઓ-ટેપ કૌભાંડ બાદ વિપક્ષ ભારતીય જનતા પાર્ટી. (ભાજપ) નું નામ પણ આવી ગયું છે.
ઓડિઓ ટેપના બહાને, કોંગ્રેસ અશોક ગેહલોત સરકારને અસ્થિર કરવા માટે ભાજપ પર ધારાસભ્યોની ખરીદી-વેચાણનો સીધો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનું નામ પણ ખેંચીને તેમની ભૂમિકાની તપાસની માંગ કરી હતી.