દેશમાં એક તરફ કોરોનાની ચર્ચા ચાલી રહી છે ત્યારે રાજસ્થાન સરકાર પર ઘેરાયેલા રાજકીય સંકટની વાતો પણ ચર્ચાનો વિષય બની છે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેના ખટરાગને કારણે સરકાર પડવાની તૈયારીમાં છે ત્યારે આજરોજ અશોક ગેહલોતે 107 ધારાસભ્યો સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું કે, પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે 22 કોંગ્રેસી ધારાસભ્યો આ શક્તિ પ્રદર્શનમાં હાજર રહ્યા નહોંતા. ત્યારે હવે કોંગ્રેસી નેતા સુરજેવાલા જણાવ્યું હતું કે, આવતીકાલે સવારે ધારાસભ્ય દળની બેઠક યોજાશે.
રાજસ્થાનમાં રાજકીય સંકટ
અશોક ગેહલોતના શક્તિ પ્રદર્શનમાં 22 ધારાસભ્યો રહ્યા ગેરહાજર
કોંગ્રેસમાં 109 ધારાસભ્યોનું સમર્થન
રાજસ્થાનના મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી ધારાસભ્યો દળની બેઠક બાદ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક થઇ અને આવતીકાલે પણ અહીં સવારે 10 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક યોજાશે. રણદીપ સુરજેવાલે કહ્યું કે, હાલમાં કોંગ્રેસમાં 109 ધારાસભ્યોનું સમર્થન છે, અમને 109 ધારાસભ્યોના સમર્થન પત્ર મળ્યા છે. ભાજપના તમામ પ્રયત્નો નિષ્ફળ બનાવ્યા છે.
રાજસ્થાન સરકારમાં નવા જુની થવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આજરોજ મુખ્યમંત્રી અશોક ગેહલોતના શક્તિ પ્રદર્શનમાં કોંગ્રેસના સચિન પાયલોટ સહિત 22 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા જેની યાદી નીચે પ્રમાણે છે.
રાજસ્થાનમાં સરકાર રચાઈ ત્યારથી ગેલહોત-પાયલટ વચ્ચે ખટરાગ હતો. CM પદ માટે બન્ને વચ્ચે પહેલાથી જ સંબંધો વણસ્યા હતા. ત્યારે પાયલટને CM બનવું હતું પણ હાઈકમાન્ડના આદેશ મુજબ DyCM બનવું પડ્યું હતું. રાજસ્થાનમાં મહેનત બાદ CM પદ ન મળતા પાયલટ નારાજ હતા તેવું માનવામાં આવે છે. ખાસ કરીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની નોટિસ બાદ સંબંધો વધુ વણસ્યા. ઉલ્લેખનીય છે કે ધારાસભ્યોને ખરીદવા મામલે સચિન પાયલટને પણ નોટિસ મળી હતી જેમાં તેમને નિવેદન નોંધાવવા માટે કહેવાયું હતું. આવામાં નોટિસ મળ્યા બાદ પાયલટ ગેહલોતથી નારાજ છે. આ ઉપરાંત પાયલટ સમર્થકોને SOGની નોટિસ સ્વીકાર ન હતી. કોંગ્રેસની આ જ લડાઈમાં ભાજપ પોતાનો લાભ જોઈ રહી છે . ભાજપ પણ સચિન પાયલટને મનાવવામાં લાગ્યું છે અને હાલ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ પાયલટને મનાવવા મેદાનમાં ઉતર્યા છે.